July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

નાણામંત્રી તરીકેશ્રી કનુભાઈ દેસાઈએ બીજું સર્વાંગી વિકાસલક્ષી રૂા.899 કરોડનું પુરાંતવાળું બજેટ પ્રસ્‍તૂત કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ગુજરાત વિધાનસભામાં આજે શુક્રવારે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું વિકાસલક્ષી બજેટ સન-2023-24નું રજૂ કર્યું હતું. પારડીના ધારાસભ્‍ય હોવાથી વલસાડ જિલ્લાનું સર્વોપરી બની ચૂકેલ છે.
ગાંધીનગર વિધાનસભા છત્રના બીજા દિવસે રાજ્‍યના નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. સવારે મંત્રી નિવાસ સ્‍થાને પરિવારે પૂજા અર્ચના કરી હતી. ત્‍યારબાદ તેઓ વિધાનસભા ભવન પહોંચ્‍યા હતા. નાણામંત્રીને શુભેચ્‍છા આપવા માટે ટીમ વી.આઈ.એ. અગાઉથી ઉપસ્‍થિત રહી હતી. બજેટમાં રોડ, રસ્‍તા, પુલ, રેલવે આર.ઓ.બી., સ્‍ટેટ અને નેશનલ હાઈવે ચાર થી છ માર્ગીય, શિક્ષણ, ઉદ્યોગ, ઊર્જા, આદિવાસી વિકાસ, સ્‍માર્ટ સ્‍કૂલ, ખેતીવાડી અને મા અમૃત વાત્‍સલ્‍ય યોજના 5 લાખથી વધારી 10 લાખની જોગવાઈ સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે જંગી નાણાની ફાળવણી આવરી લેવાઈ છે. ગુજરાતના ઈતિહાસમાં અત્‍યાર સુધીમાં સૌથી મોટું બજેટ એ પણ 899 કરોડની પુરાંત સાથેનાણામંત્રીએ રજૂ કરતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, ગૃહિણીઓ, સમાજના તમામ વર્ગના વિકાસ માટે બજેટમાં વિવિધ યોજનાઓનો સમાવેશ કરાયેલો જોવા મળે છે. આઝાદીના અમૃત મહોત્‍સવને ધ્‍યાને રાખી ગુજરાતમાં વાસ્‍તવિક અમૃત કાળ આવે તેવી તમામ સંભાવનાઓ બજેટમાં સમાવિષ્‍ટ કરાઈ છે.

Related posts

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના વેલુગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment