Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

કેન્‍દ્રમાં કુલ 1384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 631 પાસ 756 નાપાસ થયા : એ-1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નહીં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગત માર્ચ 2023 માં ગુજરાત રાજ્‍ય ઉચ્‍ચ શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.12 સાયન્‍સની સામાન્‍ય પરીક્ષા યોજાઈ હતી. જેનું પરિણામ આજરોજ મંગળવારે જાહેર કરવામાં આવ્‍યું હતું.
આજે ધો.12 સાયન્‍સનું જાહેર થયેલ પરિણામમાં વાપી કેન્‍દ્રનું પરિણામ નિરાશાજનક રહ્યું હતું. કેન્‍દ્રનું પરિણામ માત્ર 45:49 ટકા હતું. 12 સાયન્‍સની જાહેર પરીક્ષામાં વાપી કેન્‍દ્રમાં કુલ 1387 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તે પૈકી 1384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1384માંથી માત્ર 631 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્‍યારે 756 વિદ્યાર્થી નાપાસ થયા હતા. સમગ્ર કેન્‍દ્રમાં એ-1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી ઉત્તિર્ણ થયો નહોતો. એકંદરે પરિણામ કંગાલ આવતા વિદ્યાર્થીઓમાં કહી ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો. સવારે બોર્ડની વેબસાઈટ ઉપર સવારે પરિણામ જાહેર કરાયું હતું તેથી પરિણામ જાણવા વિદ્યાર્થીઓ પોતપોતાની સ્‍કૂલમાં વાલીઓ સાથે ટોળે ટોળામાં પહોંચી ગયા હતા.

Related posts

નવસારી જિલ્લાકક્ષાના ૭પમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના ગાંધીમેદાન ખાતે હર્ષોલ્લાસભેર કરાઈ

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્‍કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામ

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

Leave a Comment