Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

માનવતા સેવાભાવી ઈન્‍તીખાબ ખાન અને તેમની ટીમ બિન વારસી લાશની સેવા કરે છે : બન્ને મૃતદેહોની સેવા કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી રેલવે સ્‍ટેશન ઉપર બાંદ્રા ટર્મિનલ ગરીબ રથની એક્‍સપ્રેસ ટ્રેનની અડફેટમાં બુધવારે 50 વર્ષિય અજાણી વૃધ્‍ધા આવી જતા ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. મૃતકના વાલી વારસોએ જી.આર.પી. હેડકોન્‍સ્‍ટેબલ સંજયભાઈ અને નરેન્‍દ્રસિંહનો સંપર્ક કરવા જણાવેલ છે. આ મૃતદેહને મૃતદેહોની સેવા બજાવતા ઈન્‍તેખાબભાઈએ પી.એમ. માટે ચલા લઈ ગયા હતા.
જ્‍યારે બીજો બનાવ વાપી ચલા રોયલ ડ્રીમ સોસાયટી સી વિંગના ફલેટ નં.301માં રહેતા 74 વર્ષિય વૃધ્‍ધનો મતદેહ મળ્‍યો હતો. મૃતક ભાગચંદ ઝવરની પૂત્રી અને જમાઈ ત્રણ વર્ષથી મુંબઈ નોકરી અર્થે રહે છે. પૂત્રી ત્રણ દિવસથી પિતાનો ફોન ઉપર સંપર્ક કરતી રહી હતીપણ સંપર્ક નહી થતા પાડોશીઓને જાણ કરી હતી. પાડોશીઓએ પોલીસની મદદથી દરવાજો તોડી ચેક કરતા વૃધ્‍ધનો મૃતદેહ ફલેટમાંથી મળ્‍યો હતો. આ મૃતદેહનો નિકાલ પણ વાપીના ઈન્‍તેખાબભાઈએ કર્યો હતો. ઈન્‍તેખાબ ખાનની ટીમ 35 વર્ષથી બિનવારસી મૃતદેહો અંગે એમ્‍બ્‍યુલન્‍સની સેવા પુરી પાડી છે.

Related posts

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

રાજકોટના અગ્નિકાંડ બાદ ચીખલીમાં મલ્‍ટી કોમ્‍પલેક્‍સ, મોલ, હોસ્‍પિટલ, હોટેલોમાંફાયર સેફટીની ચકાસણી કરવા ઉઠેલી માંગ

vartmanpravah

Leave a Comment