July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે માસિક ધર્મ જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: આજકાલ સ્ત્રીઓમાં માસિક ધર્મને લઈને સમસ્‍યાઓ વધી રહી છે. સમય સાથે ખાનપાન, રહેણી-કહેણી તેમજ વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની સ્‍વાસ્‍થ્‍ય પર ઘણી અસર જોવા મળી રહી છે. માસિક ધર્મમાં સમસ્‍યા અંગે જાગૃતતા તેમજ સમસ્‍યા નિવારણની જરૂરિયાત ઉભી થઈ છે. જે અંતર્ગત સમાજ સેવિકા તેમજ લેખિકા હર્ષા ઘોઘારી વિવિધ સ્‍કૂલોમાં જઈને સેમિનાર યોજી રહ્યા છે. 5મી ડિસેમ્‍બર ગુરુવારે નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારના સ્‍પીકર ડાયટીશયન કિન્નરી શેઠના રહ્યાં હતાં. સેમિનારમાં ડીવાઇન સ્‍કૂલની ધોરણ 6 થી લઈ ધોરણ 12 સુધીની કુલ 650 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સેમીનાર એક એક કલાકના એમ 2 વિભાગમાં કરવામાં આવ્‍યો હતો. ડૉ.કિન્નરી દ્વારા માસિકધર્મને લગતી તમામ માહિતી આવરી લેવામાં આવી હતી. તેમજવિદ્યાર્થીનીઓની સમસ્‍યાનું નિવારણ પણ કર્યું હતું. સેમીનાર સફળ રહ્યો હતો જે માટે હર્ષા ઘોઘારીએ ડીવાઇન સ્‍કૂલના પ્રિન્‍સપાલશ્રી, ટીચર્સ સ્‍ટાફ તેમજ ડાયટીશીયન કિન્નરી શેઠનાનો આભાર માન્‍યો વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા

vartmanpravah

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વધુ 59637 ફોર્મ ભરાયા

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

દાનહના સાયલી પંચાયત દ્વારા મહિલાઓને વર્મી કમ્‍પોઝ અને સેન્‍દ્રીય ખાતર બનાવવા માટે ટ્રેનિંગ અપાઈ

vartmanpravah

Leave a Comment