Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે માસિક ધર્મ જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: આજકાલ સ્ત્રીઓમાં માસિક ધર્મને લઈને સમસ્‍યાઓ વધી રહી છે. સમય સાથે ખાનપાન, રહેણી-કહેણી તેમજ વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની સ્‍વાસ્‍થ્‍ય પર ઘણી અસર જોવા મળી રહી છે. માસિક ધર્મમાં સમસ્‍યા અંગે જાગૃતતા તેમજ સમસ્‍યા નિવારણની જરૂરિયાત ઉભી થઈ છે. જે અંતર્ગત સમાજ સેવિકા તેમજ લેખિકા હર્ષા ઘોઘારી વિવિધ સ્‍કૂલોમાં જઈને સેમિનાર યોજી રહ્યા છે. 5મી ડિસેમ્‍બર ગુરુવારે નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારના સ્‍પીકર ડાયટીશયન કિન્નરી શેઠના રહ્યાં હતાં. સેમિનારમાં ડીવાઇન સ્‍કૂલની ધોરણ 6 થી લઈ ધોરણ 12 સુધીની કુલ 650 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સેમીનાર એક એક કલાકના એમ 2 વિભાગમાં કરવામાં આવ્‍યો હતો. ડૉ.કિન્નરી દ્વારા માસિકધર્મને લગતી તમામ માહિતી આવરી લેવામાં આવી હતી. તેમજવિદ્યાર્થીનીઓની સમસ્‍યાનું નિવારણ પણ કર્યું હતું. સેમીનાર સફળ રહ્યો હતો જે માટે હર્ષા ઘોઘારીએ ડીવાઇન સ્‍કૂલના પ્રિન્‍સપાલશ્રી, ટીચર્સ સ્‍ટાફ તેમજ ડાયટીશીયન કિન્નરી શેઠનાનો આભાર માન્‍યો વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપીના પૂર્વ નગરસેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15 મી પુણ્‍યતિથિએ મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકનું પરિણામ 4થી જૂને 12:30 વાગ્‍યા સુધીમાં જાહેર થવાની સંભાવના

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

ચીખલીમાં યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં લક્ષ્મણ ડેરી ચેમ્‍પિયન જ્‍યારે નીરવ સંજરી ઈલેવન નવસારી રનર્સઅપ રહી

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

Leave a Comment