April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે માસિક ધર્મ જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: આજકાલ સ્ત્રીઓમાં માસિક ધર્મને લઈને સમસ્‍યાઓ વધી રહી છે. સમય સાથે ખાનપાન, રહેણી-કહેણી તેમજ વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની સ્‍વાસ્‍થ્‍ય પર ઘણી અસર જોવા મળી રહી છે. માસિક ધર્મમાં સમસ્‍યા અંગે જાગૃતતા તેમજ સમસ્‍યા નિવારણની જરૂરિયાત ઉભી થઈ છે. જે અંતર્ગત સમાજ સેવિકા તેમજ લેખિકા હર્ષા ઘોઘારી વિવિધ સ્‍કૂલોમાં જઈને સેમિનાર યોજી રહ્યા છે. 5મી ડિસેમ્‍બર ગુરુવારે નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારના સ્‍પીકર ડાયટીશયન કિન્નરી શેઠના રહ્યાં હતાં. સેમિનારમાં ડીવાઇન સ્‍કૂલની ધોરણ 6 થી લઈ ધોરણ 12 સુધીની કુલ 650 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સેમીનાર એક એક કલાકના એમ 2 વિભાગમાં કરવામાં આવ્‍યો હતો. ડૉ.કિન્નરી દ્વારા માસિકધર્મને લગતી તમામ માહિતી આવરી લેવામાં આવી હતી. તેમજવિદ્યાર્થીનીઓની સમસ્‍યાનું નિવારણ પણ કર્યું હતું. સેમીનાર સફળ રહ્યો હતો જે માટે હર્ષા ઘોઘારીએ ડીવાઇન સ્‍કૂલના પ્રિન્‍સપાલશ્રી, ટીચર્સ સ્‍ટાફ તેમજ ડાયટીશીયન કિન્નરી શેઠનાનો આભાર માન્‍યો વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

વલસાડમાં સદગુરુ શ્રી સતપાલ મહારાજની પાવન જન્‍મજ્‍યંતીની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સર્વાંગી ઉજ્જવલ ભવિષ્‍ય માટે સંપઘ્રદેશ પ્રશાસન પ્રતિબદ્ધઃ પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ

vartmanpravah

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

બાલદેવી શાળામાં સાંસદ કલાબેન ડેલકર અને પ્રદેશના ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી એમ.ચૈતન્‍યની ઉપસ્‍થિતિમાં ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ ‘‘સંગઠન પર્વ 2024” ના ચૂંટણી અધિકારી તરીકે સુરત ભાજપના આગેવાન રાજેશભાઈ દેસાઈની નિમણૂક કરાઈ

vartmanpravah

Leave a Comment