April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે માસિક ધર્મ જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: આજકાલ સ્ત્રીઓમાં માસિક ધર્મને લઈને સમસ્‍યાઓ વધી રહી છે. સમય સાથે ખાનપાન, રહેણી-કહેણી તેમજ વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની સ્‍વાસ્‍થ્‍ય પર ઘણી અસર જોવા મળી રહી છે. માસિક ધર્મમાં સમસ્‍યા અંગે જાગૃતતા તેમજ સમસ્‍યા નિવારણની જરૂરિયાત ઉભી થઈ છે. જે અંતર્ગત સમાજ સેવિકા તેમજ લેખિકા હર્ષા ઘોઘારી વિવિધ સ્‍કૂલોમાં જઈને સેમિનાર યોજી રહ્યા છે. 5મી ડિસેમ્‍બર ગુરુવારે નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારના સ્‍પીકર ડાયટીશયન કિન્નરી શેઠના રહ્યાં હતાં. સેમિનારમાં ડીવાઇન સ્‍કૂલની ધોરણ 6 થી લઈ ધોરણ 12 સુધીની કુલ 650 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સેમીનાર એક એક કલાકના એમ 2 વિભાગમાં કરવામાં આવ્‍યો હતો. ડૉ.કિન્નરી દ્વારા માસિકધર્મને લગતી તમામ માહિતી આવરી લેવામાં આવી હતી. તેમજવિદ્યાર્થીનીઓની સમસ્‍યાનું નિવારણ પણ કર્યું હતું. સેમીનાર સફળ રહ્યો હતો જે માટે હર્ષા ઘોઘારીએ ડીવાઇન સ્‍કૂલના પ્રિન્‍સપાલશ્રી, ટીચર્સ સ્‍ટાફ તેમજ ડાયટીશીયન કિન્નરી શેઠનાનો આભાર માન્‍યો વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શરૂ કરેલો વિધિવત પ્રચાર અભિયાન

vartmanpravah

‘વન મહોત્‍સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા બુલેટ ટ્રેન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની માહિતી અંગે વિશેષ સેમિનાર યોજાયો

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

Leave a Comment