June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા મામલો ઉગ્ર બન્‍યો : બે હજાર ઉપરાંતનું ટોળું સ્‍ટેશન કચેરી ઉપર રેલી કાઢી પહોંચ્‍યુ


13 એપ્રિલથી 3 મે સુધી 20 દિવસ ફાટક બંધ રખાયું હતું પરંતુ આજથી કાયમી ધોરણે ફાટક બંધ કરી દેવાતા લોકરોષ ફાટયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ઉદવાડા ફાટક રેલવેની કામગીરી અંતર્ગત તા.13 એપ્રિલથી 3 મે સુધી 20 દિવસ માટે બંધ કરાયું હતું પરંતુ આજે 3 મેના દિવસે ફાટક તો ખુલ્‍યુ નહી ઉલટાનું કાયમી ધોરણે બંધ કરવાનો રેલવેએ લીધેલા નિર્ણય સામે લોકરોષ ફાટી નિકળ્‍યો હતો. બે હજાર ઉપરાંત લોકોનું ટોળુ રેલી આકારે સ્‍ટેશન કચેરીએ ઘૂસી ગયું હતું અને ત્‍યાં હલ્લાબોલ મચાવી દેવાયો હતો.
ઉદવાડા રેલવે ફાટક હાર્ટલાઈન છે. 20 થી 25 હજાર લોકોની રોજીંદી અવર જવર રહે છે.ગ્રામ્‍ય વિસ્‍તાર અને સ્‍થાનિકોની મુખ્‍ય અવર જવર કરવાનો ફાટક એકમાત્ર વિકલ્‍પ છે. જેને 20 દિવસ માટે રેલવેએ બંધ કરી દીધું હતું તેથી લોકોએ સ્‍વિકારી લીધું હતું પરંતુ આજે ફાટક ખુલવાનો અંતિમ દિવસ 03 મે હતો પરંતુ ફાટક ખુલ્‍યુ નહીં અને રેલવે તંત્રએ ફાટકને કાયમી ધોરણે બંધ રાખવાનો ફતવો જાહેર કરી દેતા સ્‍થાનિકોનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો હતો. જોતજોતામાં સેંકડોનું ટોળુ ફાટક પાસે ભેગુ થઈ ગયું હતું. બે હજાર ઉપરાંત ભેગા થયેલા લોકોએ સ્‍ટેશન ઓફિસમાં હલ્લાબોલ મચાવી દીધો હતો. તેમજ અવર જવર માટે ફાટક ખુલ્લુ રાખવાની માંગણી કરી હતી. પરંતુ તેનું કોઈ સમાધાન અંતે થયું નહોતું.

Related posts

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

વાપી નજીક દેગામ પંચાયતનાચૂંટણી વોર્ડ સભ્‍ય ઉમેદવાર અને પૂર્વ સરપંચ પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગૂમ

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજી અંગે મુસદ્દો તૈયાર કરાયો

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

Leave a Comment