Vartman Pravah
Breaking Newsકપરાડાડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

પ્રદૂષણ ફેલાવી રહેલ સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ સામે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવા ગામલોકોની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના રાંધા ગામના ઉસ્‍ટેપાડા વિસ્‍તારમાં સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ કંપની આવેલ છે. આ કંપની દ્વારા એલ્‍યુમિનિયમનું ઉત્‍પાદન કરવામાં આવે છે. કંપની ઘણાં સમયથી બંધ હતી, જે હાલમાં થોડા દિવસ અગાઉ ફરીથી કાર્યરત કરવામાં આવી છે. હાલમાં ચાલુ કરવામાં આવેલ સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાંથી નીકળતો ધુમાડો આજુબાજુના રહેણાંક વિસ્‍તારમાં તથા વાતાવરણમાં પ્રસરી રહ્યો છે. જેનાથી વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ વાયુ પ્રદૂષણના કારણે ગ્રામજનોના આરોગ્‍ય ઉપર વિતરીત અસર પડી રહી છે તેમજ આજુબાજુના શાંત, સૌમ્‍ય, સુંદર, કુદરતી આહ્‌લાદક વાતાવરણમાં ફેલાઈ રહેલા ધૂમાડાના ગોટેગોટાના કારણે બદબૂ પણ ઉઠી રહી છે. જેનાથી રહેવાસીઓ તથા રસ્‍તા ઉપર આવતા-જતાં મુસાફરો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ત્રાહિમામ પોકારી રહ્યા છે, તેથી ગ્રામજનોની માંગ છે કે આ કંપની સામે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે.

Related posts

સેલવાસની ફેશન મોડલનો ફોટો આર્ટેલ્‍સ પત્રિકાના ફ્રન્‍ટ પેજ પર

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન

vartmanpravah

દમણના રાજસ્‍થાની સમાજ દ્વારા શ્રી બાબા રામદેવજીની ધ્‍વજયાત્રા નિકળી

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

દમણ કોર્ટમાં ‘વિશ્વ આરોગ્‍ય દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment