October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પોન્‍ઝી સ્‍કીમમાં રોકાણકારો ફસાયા: કરોડોનું ફુલેકુ ફેરવી સંચાલકો ફરાર થઈ ગયા

દશ વર્ષથી ચાલતી શ્રી સારણેશ્વર ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં ખંભાતી તાળા લાગી ગયા, રોકાણકારો-એજન્‍ટો સલવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીમાં પોન્‍ઝી સ્‍કીમ એક ક્રેડીટ સોસાયટી દ્વારા ચાલું કરીને સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા લોભામણી લાલચ આપી ઉઘરાણું કરવામાં આવ્‍યું હતું. ક્રેડીટ સોસાયટીના સંચાલકો ઓફિસને ખંભાતી તાળા લગાડી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી વાપીથી ફરાર થયાની ચોંકાવનારી હકિકત પ્રકાશમાં આવી છે. રોકાણકારો પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા અને ફરિયાદ લખાવવાની તૈયારી શરૂ કરી છે. છેલ્લા દશ વર્ષથી ક્રેડીટ સોસાયટી બેંકની જેમ ચાલતી હતી.
વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર જેવા વિસ્‍તારોમાં લોભામણી સ્‍કીમ ચલાવીને રોકાણકારો પાસે ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કરાવી ભૂગર્ભમાં ઉતરી જવાની વારંવાર બનતી ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવી વધુ એક ઘટના વાપીમાં ઘટી છે. વાપીમાં શ્રી સારણેશ્વર ક્રેડીટ સોસાયટી નામની નાણાકીય ઓફિસ કાર્યરત કરવામાં આવી હતી. સંચાલકો દ્વારા પોન્‍ઝી સ્‍કીમ ચાલું કરાઈ હતી. જેમાં સેંકડો લોકો પાસે મોટા વળતરનીલાલચ આપી રૂપિયાનું ઉઘરાણું ક્રેડીટ સોસાયટી દ્વારા ચલાવાઈ રહ્યું છે. સ્‍કીમ ચલાવવા એજન્‍ટોની પણ નિમણૂંક કરી હતી. થોડો સમય ઓફિસ કાર્યરત રાખી લોકોનો વિશ્વાસ જીતવો શરૂ કર્યો હતો. બાદ આજે અચાનક શ્રી સારણેશ્વર ક્રેડીટ સોસાયટીની ઓફિસને ખંભાતી તાળા લાગી ગયાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયાનું ફુલેકું પેરવી ક્રેડીટ સોસાયટીના સંચાલકો ફરાર થયા હતા. આજે ઓફિસે રોકાણકારો એકઠા થયા હતા. સેંકડો લોકોએ લાખો રૂપિયા જમા કરાવ્‍યા હતા. રોકાણકારો એકત્ર થઈને પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા. પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

સંઘપ્રદેશના રાજકારણમાં પેઢીઓથી હાવી બનેલા પોલીટિકલ માફિયાઓનો સૂર્યાસ્‍ત થતાં નવા દાનહ અને દમણ-દીવના નિર્માણનો થયો સૂર્યોદય

vartmanpravah

નવેમ્‍બરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સંઘપ્રદેશ મુલાકાતનો ગોઠવાતો તખ્‍તોઃ સંઘપ્રદેશના લોકો આવકારવા આતુર

vartmanpravah

Leave a Comment