Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાય પર જંગલમાં ખેતી કરનાર આદિવાસી પરિવારો પર ફોરેસ્‍ટ વિભાગ દ્વારા એફઆઈઆર દાખલ કરી રહી છે, જે સંદર્ભે કલેક્‍ટરનેલેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્‍યા અનુસાર ભારત દેશ આઝાદ થવા પહેલા બ્રિટિશ ફોરેસ્‍ટર એક્‍ટ મુજબ ફોરેસ્‍ટ વિસ્‍તારની જમીનનો વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવતો હતો. 1947માં ભારત દેશ આઝાદ થયા બાદ બ્રિટિશ ફોરેસ્‍ટ એક્‍ટના તાબામાં ચાલતી આવી રહી હતી. આઝાદી બાદ દરેક ફોરેસ્‍ટની જમીન ઈન્‍ડિયન ફોરેસ્‍ટ એક્‍ટને આધીન ચાલી ગઈ હતી.
બીજી તરફ આજના ભારત દેશના કેટલાક ભાગમાં પોર્ટુગીઝનું શાસન ચાલી રહ્યું હતું. જેમાં એક વિસ્‍તાર દાદરા નગર હવેલી અને દમણ દીવ પણ હતો અને આ જંગલ વિસ્‍તારમા પોર્ટુગીઝ ફોરેસ્‍ટ એક્‍ટ મુજબ દાનહ વિસ્‍તારની ફોરેસ્‍ટની જમીનનો વહીવટ કરવામાં આવતો હતો એ સમયે જંગલની જમીન આદિવાસી સમુદાયના લોકોને જંગલની જમીન લીઝ ફોર એગ્રીમેન્‍ટ મુજબ ખેતી કરવા માટે આપવામાં આવતી હતી. પોર્ટુગીઝ શાસનના અંત બાદ મુખ્‍ય રૂપે ગોવાથી વહીવટ કરવામાં આવતો હતો અને દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા એજ રૂલ્‍સનો અમલ કરી લીઝ ફોર એગ્રીમેન્‍ટ મુજબ સેંકડો આદિવાસી પરિવારને ફોરેસ્‍ટની જમીન ખેતી કરવા માટે આપવામાં આવતી હતી અને એ સમયે આદિવાસી પરિવાર ફોરેસ્‍ટની જમીન પર ખેતી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા.
આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર લાંબી કાનૂનીલડાઈ બાદ અંતમા નિર્ણય લેવામાં આવેલ કે દાનહને 11 ઓગસ્‍ટ 1961ના રોજ ભારત ગણરાજ્‍યનો ભાગ બનાવવા માટે વિલય કરવા માટે કરાર કરવામાં આવેલ અને એજ મુજબ ઈન્‍ડિયન ફોરેસ્‍ટ એક્‍ટ મુજબ દાનહની જંગલની જમીન તાબામાં લેવામાં આવી હતી.
હાલમાં ફોરેસ્‍ટ વિભાગના કેટલાક અધિકારીઓ આદિવાસીઓ પર એફઆઈઆર કરી ઈરાદાપૂર્વક ડરાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આ પ્રકારનું કળત્‍ય કરવું એ દુર્ભાગ્‍યપૂર્ણ અને નિંદનીય છે.
જેથી કલેક્‍ટરને નિવેદન કરવામાં આવે છે કે, નવા નવા ફોરેસ્‍ટ વિભાગના અધિકારીઓને દાનહના ઈતિહાસની જાણકારી આપો અને ફોરેસ્‍ટ વિભાગને સૂચિત કરે કે આદિવાસી સમુદાય પર નાનામોટા મામલામાં એફઆઈઆર કરી હેરાન કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે અને જંગલની અંદર ખેતી નહિ કરવા દેવું એ ઘણુ દુઃખદ છે, ફોરેસ્‍ટની જમીનમાં વર્ષોથી ખેતી કરી જીવનાર સેંકડો આદિવાસી પરિવારોને હવે ફોરેસ્‍ટ વિભાગ જંગલની જમીન પર ખેતી નહિ કરવા દઈ રહ્યા છે, આખરે જિલ્લા પ્રશાસન આદિવાસીઓ સાથે આવો શોટેલો વ્‍યવહાર કેમ? આખરે જિલ્લા પ્રશાસન સ્‍થાનિક સમુદાયો સાથે ભેદભાવની નીતિ કેમ અપનાવી રહી છે. દાનહ બાહુલ્‍ય આદિવાસી વિસ્‍તાર છે અને અનુસૂચિત-પના દાયરામાંઆવતો વિસ્‍તાર છે એના સિવાય આદિવાસી સમુદાયને લઈ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટ આવેલ પરંતુ એને જિલ્લા પ્રશાસન દ્વારા કોઈ જ ધ્‍યાનમાં લેવામાં આવતા નથી. આવી જ રીતનો રવૈયો રહેશે તો આવા અફસરશાહીના વિરુદ્ધ ગાંધી ચિંધ્‍યા માર્ગે જન આંદોલનનું આહ્‌વાન કરવું પડશે અને રોડ પર ઉતરવું પડશે જેના માટે જવાબદાર દાનહ ફોરેસ્‍ટ વિભાગ અને જિલ્લા પ્રશાસન રહેશે.

Related posts

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah

આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment