February 5, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

પ્રદૂષણ ફેલાવી રહેલ સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ સામે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવા ગામલોકોની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના રાંધા ગામના ઉસ્‍ટેપાડા વિસ્‍તારમાં સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ કંપની આવેલ છે. આ કંપની દ્વારા એલ્‍યુમિનિયમનું ઉત્‍પાદન કરવામાં આવે છે. કંપની ઘણાં સમયથી બંધ હતી, જે હાલમાં થોડા દિવસ અગાઉ ફરીથી કાર્યરત કરવામાં આવી છે. હાલમાં ચાલુ કરવામાં આવેલ સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાંથી નીકળતો ધુમાડો આજુબાજુના રહેણાંક વિસ્‍તારમાં તથા વાતાવરણમાં પ્રસરી રહ્યો છે. જેનાથી વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ વાયુ પ્રદૂષણના કારણે ગ્રામજનોના આરોગ્‍ય ઉપર વિતરીત અસર પડી રહી છે તેમજ આજુબાજુના શાંત, સૌમ્‍ય, સુંદર, કુદરતી આહ્‌લાદક વાતાવરણમાં ફેલાઈ રહેલા ધૂમાડાના ગોટેગોટાના કારણે બદબૂ પણ ઉઠી રહી છે. જેનાથી રહેવાસીઓ તથા રસ્‍તા ઉપર આવતા-જતાં મુસાફરો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ત્રાહિમામ પોકારી રહ્યા છે, તેથી ગ્રામજનોની માંગ છે કે આ કંપની સામે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે.

Related posts

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ પર થાર (જીપ) ચાલકે ઉભેલા યુવક અને કારને ટક્કર મારી થયો ફરાર

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, આઝાદી કા અમૃત મહોત્‍સવ, સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જયંતિ અને રાષ્‍ટ્રીય યુવા દિવસ અંતર્ગત દીવ કોલેજના સ્‍વયંસેવકો દ્વારા થેલેસેમિયા જાગરૂક્‍તા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment