April 27, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

પ્રદૂષણ ફેલાવી રહેલ સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ સામે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવા ગામલોકોની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના રાંધા ગામના ઉસ્‍ટેપાડા વિસ્‍તારમાં સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ કંપની આવેલ છે. આ કંપની દ્વારા એલ્‍યુમિનિયમનું ઉત્‍પાદન કરવામાં આવે છે. કંપની ઘણાં સમયથી બંધ હતી, જે હાલમાં થોડા દિવસ અગાઉ ફરીથી કાર્યરત કરવામાં આવી છે. હાલમાં ચાલુ કરવામાં આવેલ સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાંથી નીકળતો ધુમાડો આજુબાજુના રહેણાંક વિસ્‍તારમાં તથા વાતાવરણમાં પ્રસરી રહ્યો છે. જેનાથી વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ વાયુ પ્રદૂષણના કારણે ગ્રામજનોના આરોગ્‍ય ઉપર વિતરીત અસર પડી રહી છે તેમજ આજુબાજુના શાંત, સૌમ્‍ય, સુંદર, કુદરતી આહ્‌લાદક વાતાવરણમાં ફેલાઈ રહેલા ધૂમાડાના ગોટેગોટાના કારણે બદબૂ પણ ઉઠી રહી છે. જેનાથી રહેવાસીઓ તથા રસ્‍તા ઉપર આવતા-જતાં મુસાફરો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ત્રાહિમામ પોકારી રહ્યા છે, તેથી ગ્રામજનોની માંગ છે કે આ કંપની સામે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે.

Related posts

જિલ્લામાં MRP કરતાં વધુ કિંમત વસુલતા અને મેનુકાર્ડમાં જથ્‍થો નહીં દર્શાવતા 82 એકમોને રૂા.1.09 લાખનો દંડ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નવસારીના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘‘પરિક્ષા સાથી” ટીમની જાહેરાત

vartmanpravah

વલસાડ ઔરંગા નદી પુલ ઉપર કાર પલટી મારી ગઈ

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં સ્‍થાનિક લોકોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને બિગ સ્‍ક્રીન ઉપરસાંભળ્‍યો

vartmanpravah

Leave a Comment