Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્‍મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસના ઝંડાચોક વિસ્‍તારમાં આવેલ આઝાદી સ્‍મારક પાસે કન્‍ટેઈનર ચાલકે વળાંક લેતી વખતે સ્‍તંભને કન્‍ટેઈનરનો ભાગ અડી જતાં સ્‍મારક તુટી પડતાં નુકસાન થવા પામ્‍યું હતું. પ્રશાસન દ્વારા મોટા વાહનોને રીંગરોડ ઉપરથી સીધા નીકળી જવાનો આદેશ હોવા છતાં પણ કેટલાક મોટા વાહનચાલકો જેમ કે, ટ્રક, કન્‍ટેઈનર, બસ વગેરે શહેરી વિસ્‍તારમાં પ્રવેશ કરતા હોય છે અને ઝંડાચોક નજીક ટ્રાફિક પોલીસથી બચવા માટે આઝાદી સ્‍મારક સર્કલ આગળથી વળાંક લેવાનો પ્રયાસ કરે છે. જેના કારણે વારંવાર ટ્રાફિકજામની પણ સમસ્‍યા બને છે.
અત્રે યાદ રહે કે, ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્‍મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી.
ટ્રાફિક વિભાગ દ્વારા મોટા વાહનો જે સચિવાલય નજીકથી શહેરમાં પ્રવેશ કરે છે તેઓને રીંગરોડ તરફ જવા ઈશારો કરવા માટે એકજવાનને કાયમી ધોરણે તૈનાત કરવામાં આવે એ જરૂરી જણાઈ રહ્યું છે. કારણ કે, સેલવાસ ઝંડાચોક રોડ નજીક શાળા પણ આવેલી છે, જેમાં હજારોની સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ભણે છે. શાળા શરૂ થવાના સમયે અને છૂટવાના સમયે અવર-જવર કરતા મોટા મોટા વાહનોના કારણે વિદ્યાર્થીઓને પસાર થવામાં ઘણી તકલીફો પડે છે. તેથી ટ્રાફિક વિભાગ દ્વારા પણ આ તરફ વધુ ધ્‍યાન આપવામાં આવે જરૂરી બન્‍યું છે.

Related posts

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

સેલવાસ લો કોલેજ ખાતે ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્‍યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

બિહાર મુખ્‍યમંત્રી નિતીશકુમારની ડર્ટી સ્‍પીચના પડઘા વલસાડમાં પડયા : ભાજપે પુતળા દહન કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકાની કલીયારી, ફડવેલ અને માણેકપોર ગ્રામ પંચાયતોની કચેરીઓ જર્જરિત બનતા લાંબા સમયથી કચેરીનો કારભાર અન્‍ય મકાનોમાં ચલાવવાની નોબત

vartmanpravah

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

vartmanpravah

Leave a Comment