Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્‍મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસના ઝંડાચોક વિસ્‍તારમાં આવેલ આઝાદી સ્‍મારક પાસે કન્‍ટેઈનર ચાલકે વળાંક લેતી વખતે સ્‍તંભને કન્‍ટેઈનરનો ભાગ અડી જતાં સ્‍મારક તુટી પડતાં નુકસાન થવા પામ્‍યું હતું. પ્રશાસન દ્વારા મોટા વાહનોને રીંગરોડ ઉપરથી સીધા નીકળી જવાનો આદેશ હોવા છતાં પણ કેટલાક મોટા વાહનચાલકો જેમ કે, ટ્રક, કન્‍ટેઈનર, બસ વગેરે શહેરી વિસ્‍તારમાં પ્રવેશ કરતા હોય છે અને ઝંડાચોક નજીક ટ્રાફિક પોલીસથી બચવા માટે આઝાદી સ્‍મારક સર્કલ આગળથી વળાંક લેવાનો પ્રયાસ કરે છે. જેના કારણે વારંવાર ટ્રાફિકજામની પણ સમસ્‍યા બને છે.
અત્રે યાદ રહે કે, ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્‍મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી.
ટ્રાફિક વિભાગ દ્વારા મોટા વાહનો જે સચિવાલય નજીકથી શહેરમાં પ્રવેશ કરે છે તેઓને રીંગરોડ તરફ જવા ઈશારો કરવા માટે એકજવાનને કાયમી ધોરણે તૈનાત કરવામાં આવે એ જરૂરી જણાઈ રહ્યું છે. કારણ કે, સેલવાસ ઝંડાચોક રોડ નજીક શાળા પણ આવેલી છે, જેમાં હજારોની સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ભણે છે. શાળા શરૂ થવાના સમયે અને છૂટવાના સમયે અવર-જવર કરતા મોટા મોટા વાહનોના કારણે વિદ્યાર્થીઓને પસાર થવામાં ઘણી તકલીફો પડે છે. તેથી ટ્રાફિક વિભાગ દ્વારા પણ આ તરફ વધુ ધ્‍યાન આપવામાં આવે જરૂરી બન્‍યું છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ ભામટી માહ્યાવંશી ફળિયામાં વરસાદના સમયે પાણી ભરાવાથી જાનમાલને થતા નુકસાનથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ પ્રાંજલ હજારિકાને માહિતગાર કર્યા

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ પદનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ દીપેશભાઈ ટંડેલનું પુનરાવર્તન કે પછી પરિવર્તન?

vartmanpravah

કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રી સી.આર.પાટીલના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment