January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્‍મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસના ઝંડાચોક વિસ્‍તારમાં આવેલ આઝાદી સ્‍મારક પાસે કન્‍ટેઈનર ચાલકે વળાંક લેતી વખતે સ્‍તંભને કન્‍ટેઈનરનો ભાગ અડી જતાં સ્‍મારક તુટી પડતાં નુકસાન થવા પામ્‍યું હતું. પ્રશાસન દ્વારા મોટા વાહનોને રીંગરોડ ઉપરથી સીધા નીકળી જવાનો આદેશ હોવા છતાં પણ કેટલાક મોટા વાહનચાલકો જેમ કે, ટ્રક, કન્‍ટેઈનર, બસ વગેરે શહેરી વિસ્‍તારમાં પ્રવેશ કરતા હોય છે અને ઝંડાચોક નજીક ટ્રાફિક પોલીસથી બચવા માટે આઝાદી સ્‍મારક સર્કલ આગળથી વળાંક લેવાનો પ્રયાસ કરે છે. જેના કારણે વારંવાર ટ્રાફિકજામની પણ સમસ્‍યા બને છે.
અત્રે યાદ રહે કે, ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્‍મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી.
ટ્રાફિક વિભાગ દ્વારા મોટા વાહનો જે સચિવાલય નજીકથી શહેરમાં પ્રવેશ કરે છે તેઓને રીંગરોડ તરફ જવા ઈશારો કરવા માટે એકજવાનને કાયમી ધોરણે તૈનાત કરવામાં આવે એ જરૂરી જણાઈ રહ્યું છે. કારણ કે, સેલવાસ ઝંડાચોક રોડ નજીક શાળા પણ આવેલી છે, જેમાં હજારોની સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ભણે છે. શાળા શરૂ થવાના સમયે અને છૂટવાના સમયે અવર-જવર કરતા મોટા મોટા વાહનોના કારણે વિદ્યાર્થીઓને પસાર થવામાં ઘણી તકલીફો પડે છે. તેથી ટ્રાફિક વિભાગ દ્વારા પણ આ તરફ વધુ ધ્‍યાન આપવામાં આવે જરૂરી બન્‍યું છે.

Related posts

દિલ્‍હીમાં યોજાયેલ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ બનેલી થ્રીડીની પોલીસ ટીમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા અભિનંદન

vartmanpravah

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

વલસાડ તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવીઃ હાઈવેની મરામત ત્‍વરીત પુરી કરો નહીં તો ચક્કાજામ

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

vartmanpravah

Leave a Comment