April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

સમુહ આરતીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સહિત વાપીના અગ્રણી જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી ડુંગરામાં પાંચ શિવલીંગ ધરાવતા પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસે ભક્‍તો મોટા પ્રમાણમાં ઉમટી દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ દિવ્‍ય મંદિરમાં મહા સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં વાપીના અગ્રણી જોડાઈને આરતીનો લાભ લીધો હતો. સાથે સાથે અહીંથી શિરડી સાંઈબાબા પદયાત્રીઓને પ્રસ્‍થાન પણ કરાવાયા હતા.
ગામના લોકોનું માનવું છે કે, અહીં જ્‍યારથી ભગવાન શિવના સ્‍વયંભુ 5 શિવલીંગ મળ્‍યા છે ત્‍યારથી આ વિસ્‍તાર પ્રગતિ કરી રહ્યો છે. બુલેટ ટ્રેનનું સ્‍ટેશન પણ આ વિસ્‍તારને મળ્‍યું છે. શ્રાવણ માસ અંતર્ગત મહા આરતીનું મંદિરમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંવી.આઈ.એ.ના પ્રમુખ સતિષભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, દર્પણ દેસાઈ, ટ્રસ્‍ટી નાથુભાઈ પટેલ સહિત સેંકડો શિવ ભક્‍તોએ આરતી પૂજાનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી. ડુંગરાનું પંચકેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક છે અને લોકોની ખુબ આસ્‍થા આ મંદિર સાથે રહેલી છે.

Related posts

વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્‍સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સપરિવાર ઉપસ્‍થિત રહી આરતી-દર્શનનો લાભ લીધો

vartmanpravah

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

vartmanpravah

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપીનો યુવાન રાષ્‍ટ્ર પ્રેમનો મિશાલ બન્‍યો : 75મા ગણતંત્ર દિવસ 75 કીલોમીટર દોડ દોડી ઉજવ્‍યો

vartmanpravah

વાપી ચલા પ્રમુખ ઓરા ટાઉનશીપ ફલેટ ધારકોનો ડેવલોપર વિરૂધ્‍ધ હલ્લાબોલ : મામલો ઉગ્ર બનતા પોલીસ દોડી

vartmanpravah

Leave a Comment