October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

સમુહ આરતીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સહિત વાપીના અગ્રણી જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી ડુંગરામાં પાંચ શિવલીંગ ધરાવતા પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસે ભક્‍તો મોટા પ્રમાણમાં ઉમટી દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ દિવ્‍ય મંદિરમાં મહા સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં વાપીના અગ્રણી જોડાઈને આરતીનો લાભ લીધો હતો. સાથે સાથે અહીંથી શિરડી સાંઈબાબા પદયાત્રીઓને પ્રસ્‍થાન પણ કરાવાયા હતા.
ગામના લોકોનું માનવું છે કે, અહીં જ્‍યારથી ભગવાન શિવના સ્‍વયંભુ 5 શિવલીંગ મળ્‍યા છે ત્‍યારથી આ વિસ્‍તાર પ્રગતિ કરી રહ્યો છે. બુલેટ ટ્રેનનું સ્‍ટેશન પણ આ વિસ્‍તારને મળ્‍યું છે. શ્રાવણ માસ અંતર્ગત મહા આરતીનું મંદિરમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંવી.આઈ.એ.ના પ્રમુખ સતિષભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, દર્પણ દેસાઈ, ટ્રસ્‍ટી નાથુભાઈ પટેલ સહિત સેંકડો શિવ ભક્‍તોએ આરતી પૂજાનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી. ડુંગરાનું પંચકેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક છે અને લોકોની ખુબ આસ્‍થા આ મંદિર સાથે રહેલી છે.

Related posts

પારડી શહેર તથા પારડી તાલુકાના ધોડિયા સમાજ દ્વારા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો યોજાયો શુભેચ્‍છા સમારંભ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah

શ્રદ્ધાંજલી

vartmanpravah

દાનહના લોકપ્રિય નેતા સ્‍વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્‍મૃતિ સપ્તાહ’નું આયોજન

vartmanpravah

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

vartmanpravah

Leave a Comment