June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

સમુહ આરતીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સહિત વાપીના અગ્રણી જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી ડુંગરામાં પાંચ શિવલીંગ ધરાવતા પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસે ભક્‍તો મોટા પ્રમાણમાં ઉમટી દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ દિવ્‍ય મંદિરમાં મહા સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં વાપીના અગ્રણી જોડાઈને આરતીનો લાભ લીધો હતો. સાથે સાથે અહીંથી શિરડી સાંઈબાબા પદયાત્રીઓને પ્રસ્‍થાન પણ કરાવાયા હતા.
ગામના લોકોનું માનવું છે કે, અહીં જ્‍યારથી ભગવાન શિવના સ્‍વયંભુ 5 શિવલીંગ મળ્‍યા છે ત્‍યારથી આ વિસ્‍તાર પ્રગતિ કરી રહ્યો છે. બુલેટ ટ્રેનનું સ્‍ટેશન પણ આ વિસ્‍તારને મળ્‍યું છે. શ્રાવણ માસ અંતર્ગત મહા આરતીનું મંદિરમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંવી.આઈ.એ.ના પ્રમુખ સતિષભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, દર્પણ દેસાઈ, ટ્રસ્‍ટી નાથુભાઈ પટેલ સહિત સેંકડો શિવ ભક્‍તોએ આરતી પૂજાનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી. ડુંગરાનું પંચકેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક છે અને લોકોની ખુબ આસ્‍થા આ મંદિર સાથે રહેલી છે.

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ્‍સ ગાઈડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ટ્રેનિંગ કેમ્‍પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્‍છાઓ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ OIDC દ્વારા વેલુગામમાં વિકસાવવામાં આવી રહેલ નવા ઉદ્યોગો માટેના પ્‍લોટની ફાળવણી હેતુ ઉદ્યોગપતિઓ સાથે ઉદ્યોગ સચિવ ગૌરવસિંહ રાજાવતે કરેલી સલાહ-મસલત

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

vartmanpravah

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment