Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે ફોટો ફ્રેમ અને પ્રશસ્‍તિપત્ર આપી બાળ મોદીને સર્જનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. 20 બાળ મોદીએ ‘નમો પથ સેલ્‍ફી પોઈન્‍ટ’ પર વડાપ્રધાનનો સ્‍નેહ અને આશીર્વાદ મેળવ્‍યા હતા.
દમણની પ્રગતિશીલ સ્‍વચ્‍છ આટિયાવાડ ગ્રામ પંચાયતનાસરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તરફથી ‘સ્‍નેહ-આશીર્વાદ’ મેળવનારા 20 ‘બાળ મોદી’ને પ્રશંસા પત્રો આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા. સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે તમામ 20 બાળ મોદીને આટિયાવાડ પંચાયત કચેરી ખાતે ફોટો ફ્રેમ અને પ્રશંસા પત્રો આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે બાળ મોદીના માતા-પિતાએ સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલના કલા-સંવર્ધન કાર્યની સરાહના કરી હતી.
અત્રે નોંધનીય છે કે, 25 એપ્રિલે દમણની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ‘નમો પથ સેલ્‍ફી પોઈન્‍ટ’ પર આ 20 બાળ મોદીને પ્રેમ અને આશીર્વાદ આપ્‍યા બાદ બાળકો સાથે ફોટોગ્રાફસ લીધા હતા. સરપંચ ઉર્વશીબેન પટેલની પ્રેરણાથી બાળ મોદીના વેશમાં આવેલા આ બાળકોએ વડાપ્રધાનનો પ્રેમ અને આશીર્વાદ મેળવ્‍યા હતા. બાલ મોદીનું સન્‍માન કરતાં સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે જણાવ્‍યું હતું કે બાળકો અને કલા રાષ્‍ટ્રના ખજાના સમાન છે. બાળકો ભારતનું ભવિષ્‍ય છે અને કલાએ ભારતનું ગૌરવ છે. બાળકો શૈક્ષણિક તેમજ કળા અને કૌશલ્‍યમાં સર્જનાત્‍મક અને નિપુણ બને છે. બાળ મોદીનું પ્રતિબિંબ જનજાગૃતિ અને કલાને પ્રોત્‍સાહન આપવાના અમારા પ્રયાસો ચાલું રહેશે.

Related posts

સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં સંઘપ્રદેશની થયેલી ઉત્તરોત્તર પ્રગતિઃ પસાર કરાયો પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર પ્રસ્‍તાવ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

આદીવાસી એકતા મંચ દ્વારા આયોજીત : આદિવાસી સ્‍વાભિમાન અધિકાર યાત્રાનું પારડી ખાતે આગમન

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એપ્રિલના બીજા પખવાડિયામાં સેલવાસ-દમણની મુલાકાતે આવી શકે છે

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

Leave a Comment