Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત : જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્‍કોલરશીપ મળે એવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીમાં સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્‍યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વર્ષ 2020-21ની સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્‍યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષ 2020-21 થી લઈ વર્ષ 2023 સુધીની સ્‍કોલરશીપ મળી નથી.
વિદ્યાર્થીઓના જણાવ્‍યા મુજબ અમોએ વારંવારશિક્ષણ વિભાગના અધિકારીઓને મળી રજૂઆત કરી હતી પરંતુ તેઓ દ્વારા ‘થોડા દિવસોમાં મળી જશે’. એવા જ વાયદા કરતા રહે છે. વિદ્યાર્થીઓએ જણાવી રહ્યા છે કે, અમે સામાન્‍ય પરિવારમાંથી આવીએ છીએ, અમારા માતા-પિતા કોલેજની ફી ભરવા સક્ષમ નથી. અમારૂં શિક્ષણ ન બગડે એના માટે એક-બે વર્ષની જેમ તેમ કરી ફી ભરી છે, તેથી અમે સરકાર દ્વારા મળતી સ્‍કોલરશીપની આશાએ અમારા ભવિષ્‍યનું ભણતર ભણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો અમને સ્‍કોલરશીપ નહીં મળશે તો અમે અમારો શિક્ષણ ખર્ચ ઉઠાવવા અસમર્થ છીએ અને અમારૂં ભવિષ્‍ય અંધકારમય બનવાની સંભાવના છે. આ સંદર્ભે અમે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને રજૂઆત કરી હતી કે, અમને વહેલી તકે સ્‍કોલરશીપ મળે. આ બાબતે કલેક્‍ટરશ્રીએ અમને આશ્વાશન આપ્‍યું હતું કે, તમારા મુદ્દાને ધ્‍યાનમાં લઈને જેમ બને તેમ વહેલી તકે સ્‍કોલરશીપ પ્રદાન કરવાના પ્રયાસ કરવામાં આવશે.

Related posts

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah

નવસારી પુરવઠા અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ તથા અન્‍ય રાજ્‍યપાલો સાથે ઉપરાષ્‍ટ્રપતિ ભવન ખાતે હાઈ ટી દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર કરેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

Leave a Comment