August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના મસાટ ગામ ખાતે રહેતા 26 વર્ષીય યુવાન એમના ઘરમાં હતા હૃદયરોગનો હૂમલો આવતાં અચાનક મોત થયું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે રજત પટેલ (ઉ.વ.26) જેઓ મળસ્‍કે પાંચ વાગ્‍યે ઉઠી નિત્‍યક્રમ પતાવી રસોડામાં જઈ દૂધ પી રહ્યા હતા, તે સમયે અચાનક ચક્કર આવતા ઢળી પડયા હતા. રજતનીપત્‍નીએ જોતાં તાત્‍કાલિક એમના પરિવારના સભ્‍યોને બોલાવ્‍યા હતા અને રજતને સારવાર અર્થે વાપીની રેઈન્‍બો હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્‍પિટલમાં ફરજ પરના તબીબે રજત મૃત જાહેર કર્યા હતા. યુવાનનું હોસ્‍પિટલ પહોંચવા પહેલા જ મોત થયું હતું. તેમના પરિવારમાં બે બહેનનો એકનો એક ભાઈ હોવાથી સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણ નગરપાલિકાની ટીમે કલેક્‍ટર તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પરવાસા ગામના બંધ ઘરમાં આગ લાગતા ઘર સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ: આશરે 10 લાખથી વધુનું નુકસાન

vartmanpravah

દમણ-દીવની સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયેલો આક્રોશઃ શિક્ષકોમાં પણ નારાજગી

vartmanpravah

નવસારી જલાલપોર તાલુકાના કનીયેટ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

Leave a Comment