(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ફોટો ફ્રેમ અને પ્રશસ્તિપત્ર આપી બાળ મોદીને સર્જનાત્મક કલા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 20 બાળ મોદીએ ‘નમો પથ સેલ્ફી પોઈન્ટ’ પર વડાપ્રધાનનો સ્નેહ અને આશીર્વાદ મેળવ્યા હતા.
દમણની પ્રગતિશીલ સ્વચ્છ આટિયાવાડ ગ્રામ પંચાયતનાસરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી ‘સ્નેહ-આશીર્વાદ’ મેળવનારા 20 ‘બાળ મોદી’ને પ્રશંસા પત્રો આપીને પ્રોત્સાહિત કર્યા હતા. સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે તમામ 20 બાળ મોદીને આટિયાવાડ પંચાયત કચેરી ખાતે ફોટો ફ્રેમ અને પ્રશંસા પત્રો આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે બાળ મોદીના માતા-પિતાએ સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલના કલા-સંવર્ધન કાર્યની સરાહના કરી હતી.
અત્રે નોંધનીય છે કે, 25 એપ્રિલે દમણની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘નમો પથ સેલ્ફી પોઈન્ટ’ પર આ 20 બાળ મોદીને પ્રેમ અને આશીર્વાદ આપ્યા બાદ બાળકો સાથે ફોટોગ્રાફસ લીધા હતા. સરપંચ ઉર્વશીબેન પટેલની પ્રેરણાથી બાળ મોદીના વેશમાં આવેલા આ બાળકોએ વડાપ્રધાનનો પ્રેમ અને આશીર્વાદ મેળવ્યા હતા. બાલ મોદીનું સન્માન કરતાં સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે જણાવ્યું હતું કે બાળકો અને કલા રાષ્ટ્રના ખજાના સમાન છે. બાળકો ભારતનું ભવિષ્ય છે અને કલાએ ભારતનું ગૌરવ છે. બાળકો શૈક્ષણિક તેમજ કળા અને કૌશલ્યમાં સર્જનાત્મક અને નિપુણ બને છે. બાળ મોદીનું પ્રતિબિંબ જનજાગૃતિ અને કલાને પ્રોત્સાહન આપવાના અમારા પ્રયાસો ચાલું રહેશે.