Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને એમની ટીમ તેમજ ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ પ્રાદેશિક કચેરી સરીગામના રિજનલ ઓફિસર શ્રી એ ઓ ત્રિવેદીઅને એમના કર્મચારીઓ દ્વારા આજરોજ સરીગામ જીઆઈડીસી વિસ્‍તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવા એસઆઈએના સભાખંડથી સીઈટીપી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમજ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ટાળવાના અભિગમને કેન્‍દ્ર સ્‍થાને રાખવામાં આવ્‍યો છે. જેના વિશે માર્ગદર્શન આપી જાગળતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત પ્રકળતિની માવજત તેમજ પ્રદૂષણ ઉપર અંકુશ લાવવા સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં 2000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું.


આ કાર્યક્રમમાં એસ આઈ એના પ્રેસિડન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, જીપીસીપીના પ્રાદેશિક અધિકારી શ્રી એ ઓ ત્રિવેદી, એસ આઈ એને માજી પ્રમુખ અને માર્ગદર્શક શ્રી શિરીષભાઈ દેસાઈ, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી નર્મલભાઇ દુધાની, શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી આનંદભાઈ પટેલ, શ્રી સેહુલભાઈ પટેલ, શ્રી આર કે સિંગ, શ્રી કિશોરભાઈ ગજેરા, શ્રી જે કે રાય, શ્રી વીડી શિવદાસન સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

Related posts

વલસાડ જિલ્લાના કલેક્‍ટર નૈમેષ દવેએ સ્‍વામિનારાયણ નગરની મુલાકાત લીધી

vartmanpravah

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા. 200 લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ ‘હાટ બજાર’નું કરેલું લોકાર્પણ

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment