Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણની સ્‍ટેપ અપ સંસ્‍થાના અધ્‍યક્ષ અને પ્રદેશના વરિષ્‍ઠ ભાજપ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, 2016ના ઓગસ્‍ટથી લોકોની વિચારવાની શક્‍તિમાં આવેલું પરિવર્તન આજે આદિવાસી સમાજના સમારંભમાં પણ જોવા મળી રહ્યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, આદિવાસી સમાજના બહુમતિ વક્‍તાઓએ શિક્ષણનું કરેલું ચિંતન બતાવે છે કે, હવે પ્રદેશ બદલાઈ રહ્યો હોવાનો મત પણ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશના વિકાસમાં આદિવાસી સમાજ પ્રશાસનની સાથે હંમેશા ખભાથી ખભો મેળવી સાથે રહ્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, લૉ, ફેશન ડિઝાઈનિંગ જેવા અનેક અભ્‍યાસક્રમો શરૂ કરાવ્‍યા છે. જેના કારણે પ્રદેશના ગરીબથી ગરીબ વ્‍યક્‍તિ પણ ડોક્‍ટર-એન્‍જિનિયર બનવાનું પોતાનું સ્‍વપ્‍ન સાકાર કરી રહ્યો છે.
ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલે યાદ અપાવતા જણાવ્‍યું હતું કે, 2021માં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્‍મજયંતિ 15મી નવેમ્‍બરને આદિવાસી ગૌરવ દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત કરી હતી. તેમણે મોટી દમણના ઘડિયાળ ચોક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવા આદિવાસી સમાજે કરેલી માંગણીને પ્રશાસકશ્રી સમક્ષ રજૂ કરવાનો ભરોસો આપ્‍યો હતો.

Related posts

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

સંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી

vartmanpravah

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

vartmanpravah

બાલદેવી શાળામાં સાંસદ કલાબેન ડેલકર અને પ્રદેશના ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી એમ.ચૈતન્‍યની ઉપસ્‍થિતિમાં ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

Leave a Comment