July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ નરોલી પંચાયતની આંગણવાડી ખાતે બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલીના નરોલી પંચાયતની આંગણવાડી અને ખરડપાડા અથાલ આંગણવાડીની બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા સરપંચ શ્રીમતી લીનાબેન પટેલ, આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીની અધ્‍યક્ષતામાં પૌષ્ટિક વાનગી સ્‍પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં આંગણવાડીની મહિલા સ્‍પર્ધક બહેનોએ આખા અનાજમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ બનાવી પ્રસ્‍તુત કરવામાં આવી હતી. સ્‍પર્ધામાં ભાગ લેનાર આંગણવાડી બહેનોને ઇનામ આપીપ્રોત્‍સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીએ જણાવ્‍યું હતું કે, જાડા બરછટ અનાજમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓને નાના નાના બાળકોને ખવડાવવામાં આવે તો તેઓ કુપોષણ મુક્‍ત થઈ શકે છે, કારણ કે, આખા અનાજમાંથી બનાવેલ વાનગીઓ બાળકો માટે ખુબ જ પૌષ્ટિક આહાર છે.
આ અવસરે આંગણવાડીના સુપરવાઈઝર શ્રીમતી જાગૃતિબેન ચૌહાણ, ખરડપાડા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની બહેનો સહિત આંગણવાડી બહેનો ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

આ તે કેવી ભક્‍તિ ? ઉત્‍સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા : ચીખલીમાં ગણેશજીની દસ દિવસ પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્‍ય ન કર્યું

vartmanpravah

પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ

vartmanpravah

વાપીની મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમન પુરસ્‍કાર એનાયત

vartmanpravah

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment