August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ નરોલી પંચાયતની આંગણવાડી ખાતે બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલીના નરોલી પંચાયતની આંગણવાડી અને ખરડપાડા અથાલ આંગણવાડીની બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા સરપંચ શ્રીમતી લીનાબેન પટેલ, આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીની અધ્‍યક્ષતામાં પૌષ્ટિક વાનગી સ્‍પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં આંગણવાડીની મહિલા સ્‍પર્ધક બહેનોએ આખા અનાજમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ બનાવી પ્રસ્‍તુત કરવામાં આવી હતી. સ્‍પર્ધામાં ભાગ લેનાર આંગણવાડી બહેનોને ઇનામ આપીપ્રોત્‍સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીએ જણાવ્‍યું હતું કે, જાડા બરછટ અનાજમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓને નાના નાના બાળકોને ખવડાવવામાં આવે તો તેઓ કુપોષણ મુક્‍ત થઈ શકે છે, કારણ કે, આખા અનાજમાંથી બનાવેલ વાનગીઓ બાળકો માટે ખુબ જ પૌષ્ટિક આહાર છે.
આ અવસરે આંગણવાડીના સુપરવાઈઝર શ્રીમતી જાગૃતિબેન ચૌહાણ, ખરડપાડા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની બહેનો સહિત આંગણવાડી બહેનો ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નેશનલ હાઈવેના જીવલેણ બની રહેલા ખાડાઓએ વલસાડ નજીક ડુંગરીના પિતા, માતા, પૂત્રીનો ભોગ લીધો

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment