Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને એમની ટીમ તેમજ ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ પ્રાદેશિક કચેરી સરીગામના રિજનલ ઓફિસર શ્રી એ ઓ ત્રિવેદીઅને એમના કર્મચારીઓ દ્વારા આજરોજ સરીગામ જીઆઈડીસી વિસ્‍તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવા એસઆઈએના સભાખંડથી સીઈટીપી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમજ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ટાળવાના અભિગમને કેન્‍દ્ર સ્‍થાને રાખવામાં આવ્‍યો છે. જેના વિશે માર્ગદર્શન આપી જાગળતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત પ્રકળતિની માવજત તેમજ પ્રદૂષણ ઉપર અંકુશ લાવવા સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં 2000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું.


આ કાર્યક્રમમાં એસ આઈ એના પ્રેસિડન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, જીપીસીપીના પ્રાદેશિક અધિકારી શ્રી એ ઓ ત્રિવેદી, એસ આઈ એને માજી પ્રમુખ અને માર્ગદર્શક શ્રી શિરીષભાઈ દેસાઈ, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી નર્મલભાઇ દુધાની, શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી આનંદભાઈ પટેલ, શ્રી સેહુલભાઈ પટેલ, શ્રી આર કે સિંગ, શ્રી કિશોરભાઈ ગજેરા, શ્રી જે કે રાય, શ્રી વીડી શિવદાસન સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

Related posts

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં 26-વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્‍વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા

vartmanpravah

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

Leave a Comment