(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ,તા.05: આજે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ અને ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, ઉપરાંત જીપીસીપી સરીગામ પ્રાદેશિક કચેરીના અધિકારી શ્રી એ ઓ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહી કંપનીની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મેકલોઈડ કંપનીના યુનિટ હેડ શ્રી મોબીનભાઈ શેખ અને એમના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.