April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: આજરોજ તારીખ 18-6-2023 ને રવિવારના દિવસે, ગુજરાત સરકારનાકેબિનેટ મંત્રી (નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ) તેમજ પરડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્‍ય માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા પોતાના મતવિસ્‍તારમાં જાહેર જનતાને અતિ ઉપયોગી એવા જાહેર હિતના કાર્યરત વિવિધ કામોની સ્‍થળ મુલાકાત લીધી હતી.

ચાલી રહેલ કામની ચકાસણી, તેમજ જે તે કોન્‍ટ્રાક્‍ટર અને એજન્‍સીના કર્મચારીઓ સાથે ચોમાસા પૂર્વે લોકોને તકલીફ ના પડે એ રીતે જે તે પ્રોજેક્‍ટને સમય મર્યાદામાં અને મજબૂત રીતે પૂર્ણ કરવામાં આવે આ બાબતની ચર્ચા કરી હતી.વિવિધ સ્‍થળ મુલાકાતો દરમિયાન સાથે ઉપસ્‍થિત અગ્રણી શ્રી સતિષભાઈ પટેલ વાપી, વીઆઈએ તેમજ વાપી શહેર ભાજપ પ્રમુખ નોટીફાઈડ ચેરમેન, શ્રી હેમંતભાઈ પટેલ વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ, શ્રી યોગેશ કાબરીયા વી.આઈ.એ., શ્રી મીલનભાઈ દેસાઈ વી.આઈ.એ., શ્રી કોશીકભાઈ પટેલ – કોરપોરેટર વાપી ઉપસ્‍થિત રહ્યા હતા.

જન ઉપયોગી સેવા પ્રોજેક્‍ટ. (1)-બલીઠા પાસે નેશનલ હાઈવે 48 પાસેથી પસાર થતી બિલખાડીના લાઇનિંગ વર્કની મુલાકાત. (2)-નેશનલ હાઈવે 48 ખાતે છરવાડા રોડ અને વાપી શહેરના આસોપાલવ વિસ્‍તારને જોડતો અંડરપાસની કામગીરીની સ્‍થળ મુલાકાત. (3)-વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં આવેલ સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલની વાડી પાસેથી બિલખાડીને જોડતી પાકી આરસીસી બોક્‍સ કલવટનીચાલી રહેલ કામગીરીની મુલાકાત. (4)-આર.સી.સી. રોડ વી.આઈ.એ. ચાર રસ્‍તાથી ડુંગરી ફલીયા રોડનું નિરિક્ષણ કર્યું હતું.

Related posts

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવ શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

વાપી બિઝનેસ પાર્ક નજીક માદા વાઈપર સાપ સહિત 30 જેટલા વાઈપર બચ્‍ચાનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

Leave a Comment