Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે જગ્‍યાએલી નીકળેલી ભવ્‍ય રથયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 :દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્‍યાએથી ભગવાન શ્રી જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગર યાત્રાએ નીકળ્‍યા હતા. રથયાત્રાની શરૂઆત ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે પૂજા અર્ચના અને આરતી કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક રથ યાત્રા જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી જેનું પ્રસ્‍થાન નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટીના હસ્‍તે આરતી કરીને કરવામાં આવ્‍યું હતું.
બીજી રથયાત્રા બાલદેવી જગન્નાથ કલ્‍ચરલ સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ આરતી કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાયું હતું. આ યાત્રા બાવીસા ફળિયાથી નીકળી કિલવણી નાકા, ઝંડા ચોક, આમલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી પસાર થઈ નરોલી રોડ ગુલમહોર હોલ ખાતે રોકાઈ હતી. સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે બીજી રથયાત્રા જે બાલદેવીથી નીકળી સામરવરણી પંચાયત હોલ ખાતે રોકાઈ હતી. જ્‍યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બાદમાં પરત ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરાજની મૂર્તિઓને પરત બાલદેવી મંદિરમાં લઈ જવાઈ હતી. આ રથયાત્રામાં ચુસ્‍તપોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. ભાવિક ભક્‍તોમાં રથયાત્રા દરમ્‍યાન અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

Related posts

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

vartmanpravah

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

vartmanpravah

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે વિવિધ વરિષ્‍ઠ નેતાઓ સાથે કરેલી આત્‍મિય મુલાકાત

vartmanpravah

Leave a Comment