Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં વિવિધ કંપનીઓ દ્વારા ભંગાર, રો-મટેરિયલ, નકામો કચરો વગેરે જાહેર રોડ ઉપર ઠાલવી ગેરકાયદે કરાયેલું દબાણ

કંપનીઓની ગતિવિધિઓ અને તેના ઉપર નિયંત્રણ રાખનારી જી.પી.સી.બી., નોટિફાઈડ તથા વી.આઈ.એ. વગેરે જેવી સંસ્‍થાઓ મૂકદર્શકની મુદ્રામાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27 : વાપી ઔદ્યોગિક વસાહતમાં 3 હજાર ઉપરાંત કારખાના કાર્યરત છે તે પૈકી કેટલાક કારખાનાઓ દ્વારા જાહેર રોડ ઉપર નકામો ભંગાર, સ્‍ટીલ તથા રો-મટેરિય ઠાલવી લઈને ગેરકાયદે ઠેર ઠેર દબાણો થઈ રહ્યા છે. પરિણામે વસાહતમાં ટ્રાફિકજેવી ગંભીર સમસ્‍યા દિવસે ને દિવસે વધી રહી છે. આમ તો વાપીમાં પહેલાંથી જ ટ્રાફિકનો મોટો પ્રશ્ન છે જે હલ થઈ રહ્યો નથી. તેમાં હવે દબાણકર્તાઓ દ્વારા વધારાની અડચણો ઉભી કરાઈ રહી છે.
વાપી ઔદ્યોગિક વસાહતમાં કેટલીક કંપનીઓ દ્વારા તેમની કંપની બહાર ઠેર ઠેર નકામો માલસામાન, કચરો, રો-મટેરિયલ વગેરે ગેરકાયદે ખડકી દઈ દબાણોના વાડા આંતરી દેવાઈ રહ્યા છે. જેમાં કારખાનાઓ દ્વારા મશીનોના ફેરફાર બાદ નકામા મશીનો, જાહેર રોડ ઉપર ખડકલા કરવામાં આવે છે. ખરેખર તો ગ્રીન સ્‍પેસની જાળવણી કરી એવી ખાલી જગ્‍યાઓમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. હા, વૃક્ષારોપણના નાટકો અને ફોટો સેશન અવાર નવાર જરૂર થતા રહે છે. પરંતુ કેટલીય કંપનીઓના કર્મચારીઓના ગાર્ડન માવજત વગર ધુળ ખાઈ રહ્યા છે. ઘણી ખરી કંપનીઓ સામે ભંગાર એક યા બીજા સ્‍વરૂપે ઠલવાયેલો જોવા મળી રહ્યો છે. આવી ઘણી બધી પ્રણાલી બેરોકટોક વર્ષોથી ચાલી રહી છે, ત્‍યારે જીપીસીબી નોટિફાઈડ, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન(વી.આઈ.એ.) જેવી નિયંત્રણ રાખવા માટે બનેલી સંસ્‍થાઓ માત્ર મૂકદર્શકની મુદ્રામાં છે. અત્રે યાદ રહે કે, ક્‍યારેક આવા બીનજરૂરી ખડકી દેવાયેલા નકામા સાધનો ઈમરજન્‍સી ફાયર વાહનોને તથા એમ્‍બ્‍યુલન્‍સને પણ નડતરરૂપ બનતા હોય છે. તેથી જાહેર ઔદ્યોગિકવસાહતોમાં કંપનીઓની ગતિવિધિઓ ઉપર નિયંત્રણ અને દેખરેખ રાખનારી સંસ્‍થાઓ જાહેર હીત માટે કાર્યવાહી કરે એ ઉચિત જણાઈ રહ્યું છે.

Related posts

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું કરેલું નિરીક્ષણ: દમણની સુંદરતામાં ઔર વધારા સાથે બામણપૂજા ખાતે નિર્માણ પામનારા નવા ગેટની પ્રતિકૃતિનું કરેલું અવલોકન

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

vartmanpravah

Leave a Comment