September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

આરોપી અજય ચન્‍દ્રકાન્‍ત વારઘડે અને રાકેશ ક્રિષ્‍ણા ગુરુવને બેંકમાંથી છ ટ્રાન્‍જેકશન કરી રૂપિયા ઉપાડયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી મેઈન બજારમાં આવેલ યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાની બ્રાન્‍ચમાંથી બોગસ ચેકોથી છ વાર ટ્રાન્‍જેકશન કરી 20,59,600 રૂપિયા ઉપાડી જનાર બે આરોપીઓ વિરૂધ્‍ધ બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. બન્ને આરોપી જેલમાં હતા. પોલીસે રજૂ કરેલ વાપી કોર્ટમાં ચાર્જસીટ બાદ આરોપીના વકીલની ધારદાર દલીલો બાદ કોર્ટ બન્ને આરોપીના જામીન મંજુર કર્યા હતા.
આરોપી અજય ચન્‍દ્રકાન્‍ત વારઘડે (રહે.શાહપુર મહારાષ્‍ટ્ર) તેમજ રાકેશ ક્રિષ્‍ણા ગુરવને (રહે.જોગેશ્વરી મુંબઈ)એ ત્રણ જુદા જુદા ખાતાઓમાંથી બેંક ઓફ ઈન્‍ડિયામાંથી બનાવટી ચેકો વટાવી રૂા.20,59,600 ની છેતરપીંડી કરી હતી. ખાતાધારક સાવિત્રી દેવીના ખાતામાંથી રૂા.1.85 લાખ અને રૂા.8.75 લાખ અજય ચન્‍દ્રકાન્‍તવારઘડેના ખાતા તથા બિંદાલ સેબ્‍સ કોર્પોરેશનના ખાતામાંથી રૂા.1.73 લાખ રાકેશ ક્રિષ્‍ણા ગુરવના ખાતામાં તેમજ રૂા.1,99,300 સુરેન્‍દ્રસિંગ માનસિંગના ખાતામાં ટ્રાન્‍સફર કર્યા. કુલ છ ટ્રાન્‍જેકશન દ્વારા બનાવટી ચેકોથી રૂા.20,59,600 બનાવટી સહી કરી ટ્રાન્‍સફર કરેલા. જેની પોલીસ ફરિયાદ બાદ બન્ને આરોપી જેલમાં હતા. પોલીસે વાપી કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરેલ. ત્‍યારબાદ આરોપીઓના એડવોકેટ હર્ષ એ. પટેલએ તર્ક તેમજ સબંધિત પુરાવા રજૂ કરતા નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. અન્‍ય બે આરોપી સલ્લાહદ્દિન અને સુરેન્‍દ્રસિંગ વોન્‍ટેડ જાહેર કરેલા હતા.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

વાપી વિસ્‍તારની સ્‍કૂલમાં ધો.1 થી 5 ના વર્ગ ચાલુ થતા ભૂલકાઓ ઉમંગ સાથે સ્‍કૂલમાં આવી રહ્યા છે. લાંબા સમયથી ઘરે ઓન લાઈન શિક્ષણથી બાળકો નાખુશ હતા હવે સ્‍કૂલમાં ભણવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

Leave a Comment