July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

આરોપી અજય ચન્‍દ્રકાન્‍ત વારઘડે અને રાકેશ ક્રિષ્‍ણા ગુરુવને બેંકમાંથી છ ટ્રાન્‍જેકશન કરી રૂપિયા ઉપાડયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી મેઈન બજારમાં આવેલ યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાની બ્રાન્‍ચમાંથી બોગસ ચેકોથી છ વાર ટ્રાન્‍જેકશન કરી 20,59,600 રૂપિયા ઉપાડી જનાર બે આરોપીઓ વિરૂધ્‍ધ બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. બન્ને આરોપી જેલમાં હતા. પોલીસે રજૂ કરેલ વાપી કોર્ટમાં ચાર્જસીટ બાદ આરોપીના વકીલની ધારદાર દલીલો બાદ કોર્ટ બન્ને આરોપીના જામીન મંજુર કર્યા હતા.
આરોપી અજય ચન્‍દ્રકાન્‍ત વારઘડે (રહે.શાહપુર મહારાષ્‍ટ્ર) તેમજ રાકેશ ક્રિષ્‍ણા ગુરવને (રહે.જોગેશ્વરી મુંબઈ)એ ત્રણ જુદા જુદા ખાતાઓમાંથી બેંક ઓફ ઈન્‍ડિયામાંથી બનાવટી ચેકો વટાવી રૂા.20,59,600 ની છેતરપીંડી કરી હતી. ખાતાધારક સાવિત્રી દેવીના ખાતામાંથી રૂા.1.85 લાખ અને રૂા.8.75 લાખ અજય ચન્‍દ્રકાન્‍તવારઘડેના ખાતા તથા બિંદાલ સેબ્‍સ કોર્પોરેશનના ખાતામાંથી રૂા.1.73 લાખ રાકેશ ક્રિષ્‍ણા ગુરવના ખાતામાં તેમજ રૂા.1,99,300 સુરેન્‍દ્રસિંગ માનસિંગના ખાતામાં ટ્રાન્‍સફર કર્યા. કુલ છ ટ્રાન્‍જેકશન દ્વારા બનાવટી ચેકોથી રૂા.20,59,600 બનાવટી સહી કરી ટ્રાન્‍સફર કરેલા. જેની પોલીસ ફરિયાદ બાદ બન્ને આરોપી જેલમાં હતા. પોલીસે વાપી કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરેલ. ત્‍યારબાદ આરોપીઓના એડવોકેટ હર્ષ એ. પટેલએ તર્ક તેમજ સબંધિત પુરાવા રજૂ કરતા નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. અન્‍ય બે આરોપી સલ્લાહદ્દિન અને સુરેન્‍દ્રસિંગ વોન્‍ટેડ જાહેર કરેલા હતા.

Related posts

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah

શીરડી ગયેલા 33 મુસાફરો રસ્‍તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

vartmanpravah

Leave a Comment