Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આનંદનગર-છરવાડા અંડરબ્રિજની ચાલતી કામગીરીને લઈ નિરંતર ટ્રાફિક સમસ્‍યા

હાઈવે અંડરબ્રિજની કામગીરી પુર્ણતાના આરે,
જલદી કાર્યરત કરવાની પ્રબળ માંગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી છરવાડા ગામ તરફથી આનંદનગર આસોપાલવ જતા રસ્‍તા ઉપર હાલમાં હાઈવે અંડરપાસની કામગીરી ચાલી રહી છે. પરંતુ જ્‍યારથી આ કામગીરી શરૂ થઈ છે ત્‍યારથી હાઈવેના બન્ને તરફના ડાઈવર્ઝનોને લીધે માથાના દુઃખાવા સમાન ટ્રાફિક સવાર સાંજ રહે છે. તેથી વાહન ચાલકોના કલાકો બગડી રહ્યા છે તેમજ કિંમતી ઈંધણનો પણ ધુવાડો થઈ રહ્યો છે.
છરવાડા રોડથી વાપી તરફ જવા માટેજોડતા રોડ વચ્‍ચે હાઈવે આવતો હોવાથી લોકો જીવના જોખમે હાઈવે ક્રોસ કરી રહ્યા હતા. તેથી અનેકવાર જીવલેણ અકસ્‍માતો પણ બની રહ્યા હતા તેથી હાઈવે અંડરબ્રિજની માંગ ઉઠી હતી. ઉઠી હતી તેથી ધારાસભ્‍ય અને નાણામંત્રીના પ્રયાસો થકી આ અંડરબ્રિજ મંજૂર કરાવાયેલ અને નવિન અંડરબ્રિજની કામગીરી છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી છે. હાલમાં કામગીરી પૂર્ણતાના આરે છે. કામગીરી દરમિયાન હાઈવેને બન્ને તરફ ડાઈવર્ઝન અપાયેલ છે. તેથી સ્‍થાનિક વાહનો અને હાઈવેના વાહનો સર્વિસ રોડ ઉપર આખો દિવસ ટ્રાફિક જામ સર્જે છે. ક્‍યારેક કલાકો સુધી સમસ્‍યા રહે છે. પેપીલોન ચોકડીથી બલીઠા પુલ અને બલીઠા પુલથી વૈશાલી ચોકડી સુધી ટ્રાફિક સર્જાતો રહે છે. હવે કામગીરી પૂર્ણ થઈ છે તો સ્‍થિતિ પૂર્વવત કરવાની માંગ ઉઠી છે.

Related posts

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી યુનુસ તલતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મોટી દમણ આંબાવાડી ખાતે મીટનાવાડના રામ મંદિરના દર્શનથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રચારના કર્યા શ્રીગણેશ

vartmanpravah

સમગ્ર શિક્ષા દાનહ દ્વારા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને ઉપકરણનું કરાયેલું વિતરણ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, દાનહમાં એકપણ નહી

vartmanpravah

Leave a Comment