September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

કોન્‍ટ્રાક્‍ટરનો લુલો બચાવ : સાત દિવસ રિપેરીંગ કામ કરી દેવાશે

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ નજીક નેશનલ હાઈવે મછોલી ખાડી બ્રિજ ઉપર બ્રિજમાં ભંગાણ સર્જાતા વાહન વહેવાર પ્રભાવિત થયો હતો.
લગાતાર વરસાદને લઈ નેશનલ હાઈવેની તકલાદી કામગીરી ઠેર ઠેર ઉજાગર થવા લાગી છે. વલસાડથી વાપી સુધી હાઈવે ઉપર ખાડા અને પાણી ભરાવાની જાણે સામાન્‍ય બાબત બની ચૂકી છે. આજે બુધવારે વલસાડ નજીક નેશનલ હાઈવે મછોલી ખાડી બ્રિજ ઉપર ભંગાણ પડયું હતું. ભંગાણ એટલું જોખમી હતું કે પુલના સળીયા પણ ખુલ્લા થઈ ગયા હતા. ભંગાણને લીધે ટ્રાફિક અવર જવર પ્રભાવિત બનતા પોલીસને ટ્રાફિક કન્‍ટ્રોલ કરવાની ફરજ પડી હતી. આ બાબતે કોન્‍ટ્રાક્‍ટરે લુલો બચાવ કરતા જણાવ્‍યું હતું કે, દિન સાતમાં રિપેરીંગ કરી દેવામાં આવશે. આવી હાઈવેની ખરાબી ઠેર ઠેર સર્જાઈ ચૂકી છે. બધુ રામ ભરોસે ચાલી રહ્યું છે. ખડકી પાસે, બગવાડા ટોલનાકા નજીક, બલીઠા જેવી અનેક જગ્‍યાએ હાઈવે ઉપર ખાડાની ભરમાર થઈ ચૂકી છે. છતાં હાઈવે ઓથોરિટી દ્વારા રોડની જાળવણી અંગેની પોલ વરસાદે ખુલ્લી પાડી દીધી છે.

Related posts

વલસાડમાં તા.28 નવેમ્‍બર થી ત્રિદિવસીય રણભૂમિ રમત મહોત્‍સવનો પ્રારંભ થશેઃ તા.23 નવેમ્‍બર સુધી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિપોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment