Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: હરિયાણામાં શ્રાવણ માસની શિ મંદિર યાત્રાના કાર્યક્રમમાં દર્શનાર્થીઓ ઉપર હિચકારા હુમલા, ગોળીબાર અને વાહનો સળગાવી દેવાના લગાતાર ગામે ગામ બનેલા બનાવોના પ્રત્‍યાઘાત ભારતભરમાં પડયા છે. જેનો પડઘો વલસાડમાં પણ પડયો છે. વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાના પાઠ કરીને જવાબદાર મનાતા વિધર્મીઓને નશ્‍યત કરવાની માંગણી કરી હતી.
હરિયાણામાં 31 જુલાઈના દિવસે ધાર્મિક ઉન્‍માદની બનેલી ઘટનાના પ્રત્‍યાઘાત દેશભરમાં રહ્યા છે. મંદિરમાં દર્શન કરવા નિકળેલા હિંદુ દર્શનાર્થીઓ મહિલાઓને મંદિરમાં બંધક બનાવી દુર પહાડો ઉપરથી બેફામ ગોળીબાર કરવાની ઘટનાથી હરિયાણા લાલધૂમ બની ગયું હતું. સેંકડો વાહનો આગમાં ફૂંકી દેવાયા. આ ઘટનાનો સખ્‍ત વિરોધકરવા માટે વલસાડમાં વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાનું આયોજન કર્યુ હતું.

Related posts

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિઃ તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી હંમેશા પ્રેરણા આપતી રહેશે

vartmanpravah

દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ અને સિંચાઈ સમિતિના ચેરપર્સન સિમ્‍પલબેન પટેલના હસ્‍તે પ્રગતિશીલ ખેડૂતોને ડાંગરના ઉચ્‍ચ બિયારણ જૈવિક ખાતરનું કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલીમાં સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા તિથલ મંદિરના રજત જયંતિ મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની યોજાયેલ નગરયાત્રા

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

Leave a Comment