July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: હરિયાણામાં શ્રાવણ માસની શિ મંદિર યાત્રાના કાર્યક્રમમાં દર્શનાર્થીઓ ઉપર હિચકારા હુમલા, ગોળીબાર અને વાહનો સળગાવી દેવાના લગાતાર ગામે ગામ બનેલા બનાવોના પ્રત્‍યાઘાત ભારતભરમાં પડયા છે. જેનો પડઘો વલસાડમાં પણ પડયો છે. વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાના પાઠ કરીને જવાબદાર મનાતા વિધર્મીઓને નશ્‍યત કરવાની માંગણી કરી હતી.
હરિયાણામાં 31 જુલાઈના દિવસે ધાર્મિક ઉન્‍માદની બનેલી ઘટનાના પ્રત્‍યાઘાત દેશભરમાં રહ્યા છે. મંદિરમાં દર્શન કરવા નિકળેલા હિંદુ દર્શનાર્થીઓ મહિલાઓને મંદિરમાં બંધક બનાવી દુર પહાડો ઉપરથી બેફામ ગોળીબાર કરવાની ઘટનાથી હરિયાણા લાલધૂમ બની ગયું હતું. સેંકડો વાહનો આગમાં ફૂંકી દેવાયા. આ ઘટનાનો સખ્‍ત વિરોધકરવા માટે વલસાડમાં વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાનું આયોજન કર્યુ હતું.

Related posts

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

વિજ્ઞાન પ્રોજેક્‍ટ પ્રદર્શનમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનારી દમણની સાર્વજનિક શાળા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

દાનહઃ સીલી ગામના ચોકીપાડાનો રસ્‍તો અત્‍યંત જર્જરિત અને બિસ્‍માર: તાત્‍કાલિક રિપેર કરવા ગ્રામજનોની બુલંદ માંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ અને રાજ્‍યમંત્રી શ્રીપદ નાઈક સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

રાષ્‍ટ્રીય યોગ ઓલિમ્‍પિયાડ-2022ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં બે દિવસથી ભારે પવન સાથે પડેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પડી જતા ખેડૂતો પાયમાલ

vartmanpravah

Leave a Comment