કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: હરિયાણામાં શ્રાવણ માસની શિ મંદિર યાત્રાના કાર્યક્રમમાં દર્શનાર્થીઓ ઉપર હિચકારા હુમલા, ગોળીબાર અને વાહનો સળગાવી દેવાના લગાતાર ગામે ગામ બનેલા બનાવોના પ્રત્યાઘાત ભારતભરમાં પડયા છે. જેનો પડઘો વલસાડમાં પણ પડયો છે. વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાના પાઠ કરીને જવાબદાર મનાતા વિધર્મીઓને નશ્યત કરવાની માંગણી કરી હતી.
હરિયાણામાં 31 જુલાઈના દિવસે ધાર્મિક ઉન્માદની બનેલી ઘટનાના પ્રત્યાઘાત દેશભરમાં રહ્યા છે. મંદિરમાં દર્શન કરવા નિકળેલા હિંદુ દર્શનાર્થીઓ મહિલાઓને મંદિરમાં બંધક બનાવી દુર પહાડો ઉપરથી બેફામ ગોળીબાર કરવાની ઘટનાથી હરિયાણા લાલધૂમ બની ગયું હતું. સેંકડો વાહનો આગમાં ફૂંકી દેવાયા. આ ઘટનાનો સખ્ત વિરોધકરવા માટે વલસાડમાં વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાનું આયોજન કર્યુ હતું.