Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: હરિયાણામાં શ્રાવણ માસની શિ મંદિર યાત્રાના કાર્યક્રમમાં દર્શનાર્થીઓ ઉપર હિચકારા હુમલા, ગોળીબાર અને વાહનો સળગાવી દેવાના લગાતાર ગામે ગામ બનેલા બનાવોના પ્રત્‍યાઘાત ભારતભરમાં પડયા છે. જેનો પડઘો વલસાડમાં પણ પડયો છે. વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાના પાઠ કરીને જવાબદાર મનાતા વિધર્મીઓને નશ્‍યત કરવાની માંગણી કરી હતી.
હરિયાણામાં 31 જુલાઈના દિવસે ધાર્મિક ઉન્‍માદની બનેલી ઘટનાના પ્રત્‍યાઘાત દેશભરમાં રહ્યા છે. મંદિરમાં દર્શન કરવા નિકળેલા હિંદુ દર્શનાર્થીઓ મહિલાઓને મંદિરમાં બંધક બનાવી દુર પહાડો ઉપરથી બેફામ ગોળીબાર કરવાની ઘટનાથી હરિયાણા લાલધૂમ બની ગયું હતું. સેંકડો વાહનો આગમાં ફૂંકી દેવાયા. આ ઘટનાનો સખ્‍ત વિરોધકરવા માટે વલસાડમાં વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાનું આયોજન કર્યુ હતું.

Related posts

ડો. મનસુખ માંડવિયા માતા, નવજાત, બાળ આરોગ્ય (PMNCH), જીનીવા માટે ભાગીદારીના સહયોગથી આયોજિત કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સુખાકારી પર જી20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે

vartmanpravah

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah

અતિવૃષ્‍ટિમાં વલસાડ નજીકનું માલવણ ગામ ટાપુમાં ફેરવાયું: લોકોના ઘરો અને ગામમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment