August 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

કુલ ૫૪૩ ટીમમાં ૧૦૮૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો

સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ, કોન્વેન્ટ સ્કૂલ અને ઉમરગામની મહેતા સ્કૂલના વિદ્યાર્થી વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૩: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેકટર શ્વેતાબેન અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સમગ્ર વલસાડ જિલ્લાની દરેક શાળાઓ એક સાથે મળીને ક્વિઝ રમે તેવી વ્યવસ્થા ઓનલાઈન ગૂગલ ફોર્મ પર યોજાઈ હતી. જેમાં ક્વિઝ માસ્ટર તરીકે વલસાડનાં ટ્રેનર દીપેશ શાહ દ્વારા માહિતી પૂરી પાડી અને ઓનલાઈન ક્વિઝ કોમ્પિટીશન રમાડવામાં આવી હતી.
આ સ્પર્ધામાં કુલ ૫૪૩ ટીમોમાં ૧૦૮૬ વિદ્યાર્થીઓ રમ્યા હતા. દરેક તાલુકામાંથી પ્રથમ પાંચ ટીમોને વલસાડ શહેરની ગાંધી લાઈબ્રેરી ખાતે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ ડેપ્યુટી કલેકટર શ્વેતાબેન પટેલ, વલસાડ નગરપાલિકાનાં ઇજનેર હિતેશ પટેલ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડમાં ઓનલાઈન અને ઓફ્લાઇન સવાલ જવાબો દ્વારા ક્વિઝ દીપેશ શાહ દ્વારા રમાડવામાં આવી હતી. જિલ્લા કક્ષાના વિજેતા તરીકે વાપી સલવાવ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળનાં તીર્થ પટેલ અને ઉત્તમ ટાંક રહ્યા હતા. બીજા ક્રમે વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલનાં જશ કનોજીયા અને યુવરાજ ધનાંની રહ્યા હતા. ત્રીજા ક્રમે ઉમરગામ તાલુકાની એમ. કે. મહેતા શાળાનાં વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. આ સર્વેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર ક્વિઝને વખાણવામાં આવી હતી.

Related posts

મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં શ્રદ્ધાંજલિ આપવા દાનહ જિલ્લાની 20 ગ્રામ પંચાયતો વચ્‍ચે યોજાયેલી વોલીબોલ અને ફૂટબોલની સ્‍પર્ધા

vartmanpravah

…તો પ્રદેશમાં કોરોના ફરી માથુ ઉંચકવાની હિંમત નહી કરી શકશે

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

Leave a Comment