June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગની ડો.મનીષા સિંહ કોર્નિયા વિશેષજ્ઞ છે જેમણે ડો.વી.કે.દાસ અને નૈત્ર ચિકિત્‍સા વિષેશજ્ઞ ડો.કોમલ પારીખના માર્ગદર્શન અને સહયોગથી એક 85 વર્ષીય મહિલાની કોર્નિયલ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સર્જરી કરી હતી જે છેલ્લા પંદર વર્ષથી જોવામાં અસમર્થ હતી. શ્રીમતી કમુબેન પટેલ દ્વિપક્ષીય રૂપે આંધળી હતી. જમણી આંખમા કોર્નિયલ અંધતાના કારણે અને ડાબી આંખમાં રેટિનલ અંધતાને કારણે તેઓ કામ કરવામાં અસમર્થ હતી. જ્‍યારે તેઓ શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં આવેલ તો જમણી આંખમાં કોર્નિયા પ્રત્‍યારોપણ માટે રજીસ્‍ટ્રેશન કરાવેલ રાષ્ટ્રીય નૈત્રદાન પખવાડા દરમ્‍યાન નૈત્રદાન જાગૃતિ માટે કેટલાક કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે અને સિવિલ હોસ્‍પિટલને નૈત્રદાન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.
આ દર્દીની સફળકોર્નિયા પ્રત્‍યારોપણ સર્જરી થઈ અને એને દ્રષ્ટિ પ્રાપ્ત થઇ.ે આ પ્રક્રિયા ડેસીમેટની સ્‍ટ્રિપિંગ એડોથેલિયલ કેરેટોપ્‍લાસ્‍ટી હતી. જેમાં કોર્નિયાની ફક્‍ત એક પરતને પ્રત્‍યારોપિત કરવામાં આવી હતી. જેમા આ એક સીવની રહિત અથવા એક સીવની ટેકનીક બની હતી. જેમા કોર્નિયા અસ્‍વીકૃતની સંભાવના ઓછી થઈ ગઈ અને જલ્‍દીથી દ્રશ્‍ય પુનર્વાસ સુનિヘતિ થઈ હતી. આ ટેકનિકમાં સટીકતાની અધિક જરૂરી હોય છે. ઓપરેશન બાદ દર્દીની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્‍યા હતા. કારણકે એને હવે બધુ જ દેખાવા લાગ્‍યુ હતુ. આ સર્જરીની સફળતા માટે નાઈટર ચિકિત્‍સા વિભાગની સાથે નર્સિંગ અને પેરામેડિકલ સ્‍ટાફની પણ મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

Related posts

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહના અથાલ ખાતેની પેસિફિક સાઇબર ટેક્‍નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોએ હડતાળ પર ઉતરી કરેલો ચક્કાજામ

vartmanpravah

દાનહમાંથી પસાર થતા ‘ને.હા.નં. 848-એ’ને તાત્‍કાલિક રિપેર કરાવવા કેન્‍દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને સાંસદ કલાબેન ડેલકરની રજૂઆત

vartmanpravah

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

Leave a Comment