(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના નરોલી રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરોલી, સેલવાસ, વાપી વિભાગના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓને શ્રી ભરતસિંહ ચાવડા અને શ્રી મેહુલસિંહ દેસાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિતે માજી સરપંચ શ્રીમતી પ્રીતિબેન દોડીયા અને સમાજના અગ્રણીઓના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ તાલીમનો ઉદ્દેશ્ય રાજપૂત સમાજના દીકરા-દીકરીઓને તલવારબાજી શીખી તલવારનું શું મહત્વ છે, શષા ચલાવવાનું કેવી રીતે શીખી શકાય, સ્વરક્ષણ તેમજ તેમજ એમનામાં આત્મવિશ્વાસનો વધારો થાય રાજપૂત સમાજના પાંચ હજારથી વધુ દીકરા-દીકરીઓને તલવારબાજી શીખવવાનો લક્ષ્ય છે. હાલમાં નરોલીથી એની શરૂઆત કરવામાં આવી છે, બાદમાં દક્ષિણ ગુજરાતના દરેક શહેરો વાપી, વલસાડ, ભરૂચ સુધીના સમાજના દીકરા-દીકરીઓને તલવારબાજીની તાલીમ આપવામાં આવશે. આ અવસરે નરોલી રાજપૂત સમાજના અગ્રણીઓ શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રી યજુવેન્દ્રસિંહ, શ્રી રાજેન્દ્રસિંહસોલંકી, શ્રી હરેન્દ્રસિંહ સોલંકી, કરણી સેનાના પ્રમુખ શ્રી સુમિત પ્રતાપસિંહ રાણા સહિત એમની ટીમ, વલસાડ ભીડભંજન મંદિરના સંચાલક શિવજી મહારાજ સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.