June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના નરોલી રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નરોલી, સેલવાસ, વાપી વિભાગના તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓને શ્રી ભરતસિંહ ચાવડા અને શ્રી મેહુલસિંહ દેસાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રીના જન્‍મદિવસ નિમિતે માજી સરપંચ શ્રીમતી પ્રીતિબેન દોડીયા અને સમાજના અગ્રણીઓના હસ્‍તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ તાલીમનો ઉદ્દેશ્‍ય રાજપૂત સમાજના દીકરા-દીકરીઓને તલવારબાજી શીખી તલવારનું શું મહત્‍વ છે, શષા ચલાવવાનું કેવી રીતે શીખી શકાય, સ્‍વરક્ષણ તેમજ તેમજ એમનામાં આત્‍મવિશ્વાસનો વધારો થાય રાજપૂત સમાજના પાંચ હજારથી વધુ દીકરા-દીકરીઓને તલવારબાજી શીખવવાનો લક્ષ્ય છે. હાલમાં નરોલીથી એની શરૂઆત કરવામાં આવી છે, બાદમાં દક્ષિણ ગુજરાતના દરેક શહેરો વાપી, વલસાડ, ભરૂચ સુધીના સમાજના દીકરા-દીકરીઓને તલવારબાજીની તાલીમ આપવામાં આવશે. આ અવસરે નરોલી રાજપૂત સમાજના અગ્રણીઓ શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રી યજુવેન્‍દ્રસિંહ, શ્રી રાજેન્‍દ્રસિંહસોલંકી, શ્રી હરેન્‍દ્રસિંહ સોલંકી, કરણી સેનાના પ્રમુખ શ્રી સુમિત પ્રતાપસિંહ રાણા સહિત એમની ટીમ, વલસાડ ભીડભંજન મંદિરના સંચાલક શિવજી મહારાજ સહિત તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

ચીખલી રાનકુવાની એક સોસાયટીમાં રાત્રે દીપડો આંટાફેરા કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા વિધાનસભા મત વિસ્‍તાર ભાજપનો નૂતન વર્ષ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

Leave a Comment