કાર્યક્રમમાં 200 થી વધુ શિક્ષકો જોડાયા,
ત્રણ મુદ્દા સમાધાન મુજબ નિકાલ કરવાની માંગણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને વલસાડ જિલ્લા પ્રાથમિકશિક્ષક સંઘ આયોજિત તારીખ 16-09-2023 શનિવારના રોજ સરકાર જગાડો કાર્યક્રમ અંતર્ગત નાનાપોંઢા પ્રાથમિક શાળા ગેટની બહાર કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ થાળી વગાડી અને મીણબત્તી સળગાવી જુની પેન્શન બાબતે અને એન.પી.એસ.ના 10 ટકાની જગ્યાએ 14 ટકા કરવા અને 45 થી વધુ વર્ષના કર્મચારીને ખાતાકીય પરીક્ષા નહીં આપી ઉચ્ચત્તર કેશના ડોર ટુ ડોર નિકાલ કરવા એવા ત્રણ મુદ્દાઓની સરકાર સાથે સમાધાન કરવામાં આવેલું હતું. પરંતુ અત્યાર સુધી સરકારે ત્રણ મુદ્દાનું સમાધાન મુજબ નિકાલ કરવામાં આવેલ નથી. જેથી સરકાર જગાડો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કપરાડાના 200 થી વધુ શિક્ષક જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.