Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

પાલિકાએ દિન બેસુધીમાં પાણી વેચવા અંગેનું રજીસ્‍ટ્રેશન કરવાની તાકીદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પાણીનું ઘમાસાણ ચાલી રહ્યું છે. પાલિકા દ્વારા જુદા જુદા વિસ્‍તારોમાં કાર્યરત આર.ઓ. પ્‍લાન્‍ટ (પાણીની દુકાન) ચલાવતા 15 જેટલા વેપારીઓને પાણી વેચવા ઉપર મનાઈ ફરમાવી દીધી હતી તેથી પાણીનો વેપાર કરતા વેપારીઓ પાલિકામાં ધસી ગઈ મોરચો કાઢયો હતો અને પાણી વેચવાનું ચાલુ રાખવાની રજૂઆત કરી હતી.
વાપીમાં હાલમાં ગરમીના દિવસોમાં પાણીનો કકળાટ વધી રહ્યો છે. અનેક જગ્‍યાએ પાણી ટેન્‍કરો દ્વારા પુરુ પાડવામાં આવી રહ્યું છે તેમાં પણ ચોમેર અસંતોષ અને વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ પાલિકાએ 15 જેટલી પાણીની દુકાનો બંધ કરાવતા મામલો બીચકાતા પાણી વેપારીઓ પાલિકામાં આજે ઉચ્‍ચ રજૂઆત કરી હતી કે પાણી વેચાણની છૂટછાટ આપવામાં આવે. આ તબક્કે પાલિકા હાઈડ્રોલીક ઈજનેર ઝા એ સ્‍પષ્‍ટતા કરી હતી કે દિન બે માં પાણી અંગેનું જરૂરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાની તાકીદ કરી હતી. પાણી જેવી જીવન જરૂરીયાત જેવી ચીજ માટે વાપીમાં આજકાલ ઘમાસાણ ચાલી રહ્યું છે. પાણી સેવા આપવામાં પાલિકાની સંતોષકારક સેવા શહેરને નથી મળી રહી એ ચોક્કસ છે.

Related posts

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

સાદકપોરમાં મારૂતિ વાન અને મોપેવડ વચ્‍ચે અકસ્‍માતઃ એકનું ઘટના સ્‍થળે જ મોત, એક ઘાયલ

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા શરૂ કરાયો

vartmanpravah

ખાનવેલ પોલીસે ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી બલીઠા વિસ્‍તારમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી નાસિકમાં ઝડપાયો

vartmanpravah

Leave a Comment