December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: અત્રેની ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીમાં કોલેજના સેલ્‍ફ હેલ્‍પ ફોરમ અંતર્ગત અઠવાડિક શિક્ષકોની ઉજવણીના ભાગરૂપે કોલેજના સેમિનાર હોલમાં વાપી અને આસપાસના વિદ્યાર્થીઓ સીએસ ક્ષેત્રમાં ઉજવળ કારકિર્દી બનાવી શકે તે હેતુથી ‘‘સ્‍ટુડન્‍ટ ડેવલોપમેન્‍ટ પ્રોગ્રામ ઓન કેરીયર ઈન કંપની સેક્રેટરી”ના થીમ હેઠળ એક દિવસીય સેમિનારનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારમાં કોલેજના મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં મુખ્‍ય વક્‍તા તરીકે હાજર રહેલ સી.એસ. વિરલ જોષી મેડમે વિદ્યાર્થીઓને સી.એસ. વિષે સંપૂર્ણ માહિતગાર કરીને સીએસના પ્રવેશથી લઈને પરીક્ષા પદ્ધતિ, પાસીંગ માર્ક્‍સ તેમજ પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવાની વગેરે તમામ બાબતો ખુબજ ઊંડાણથી માર્ગદર્શન આપી સીએસ ક્ષેત્રમાં રહેલ ઉજવળ ભવિષ્‍યની તકોથી પણ માહિતગાર કર્યા હતા. સેમિનારમાં વિદ્યાર્થીઓએ પણ સવાલ પૂછીને પોતાની મૂંઝવણ દૂર કરી હતી. સેમિનારનું આયોજન તેમજ સંચાલન સેલ્‍ફ હેલ્‍પ ફોરમના કો-ઓર્ડીનેટર ડૉ.દીપક સાંકી તેમજ સહાયકો ડૉ.યતીન વ્‍યાસ, ડૉ.ક્રિષ્‍ના રાજપૂત અને કુમારી રિઆ દેસાઈના સહકારથી થયું હતું. આમ સેમિનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ.પુનમ બી. ચૌહાણે સેમિનારના વક્‍તા, સેલ્‍ફ હેલ્‍પ ફોરમ, વિદ્યાર્થી મિત્રો, સ્‍ટાફ ગણનો આભાર માની સીએસ ક્ષેત્રમાં વાપી અને આસપાસના વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડી શકે તે માટે માર્ગદર્શન આપવાની સાથે પ્રોત્‍સાહિત કરવા માટે આહવાન આપ્‍યું હતું.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપીના છીરી, બલીઠા, છરવાડા, ચણોદ જેવા ગામોમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ધમાકેદાર રેલીઓ યોજાઈ

vartmanpravah

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર મુસાફરો ભરેલો ટેમ્‍પો પલટી મારી ગયો : મુસાફરોને નાની મોટી ઈજા

vartmanpravah

ડેંગ્‍યુના ફેલાવાને રોકવા અને નિયંત્રણ માટે જનભાગીદારી છે જરૂરી અભિયાન અંતર્ગત દાનહમાં એક મહિનામાં 25 હજારથી વધુ મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્‍ટ કરાયા

vartmanpravah

Leave a Comment