July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.20: મધ્‍યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઈ પટેલે આજે નવસારી શહેરના વિવિધ સ્‍થળની મુલાકાત લીધી હતી.
રાજ્‍યપાલશ્રીએ નવસારીના ઉન ખાતે સાંઈબાબા મંદિરની મુલાકાત કરી, ટ્રસ્‍ટીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાંઈબાબાના ટ્રસ્‍ટીશ્રીઓએ રાજ્‍યપાલશ્રીને આવકારી, સન્‍માન કર્યુ હતું. ત્‍યારબાદ રાજ્‍યપાલ શ્રી જુનાથાણા સ્‍થિત શનિદેવ મંદિર ખાતે શ્રી ગણેશ સ્‍થાપનમાં ઉપસ્‍થિત રહી પૂજા-અર્ચના કરી હતી.
રાજ્‍યપાલશ્રી નવસારીની મુલાકાત દરમિયાન ગુજરાત ગાર્ડિયનના પત્રકાર સ્‍વ.શ્રી ધનેશભાઈ પારેખનું થોડા સમય પહેલા હૃદય હુમલાથી મૃત્‍યુપામ્‍યા હતાં. તેમના ઘરે જઈ રાજ્‍યપાલ શ્રી મંગુભાઈ પટેલે સ્‍વ.શ્રી ધનેશભાઈના ધર્મપત્‍ની અને તેમના પરિવારને સાંત્‍વના પાઠવી હતી.
આ અવસરે નવસારીના ધારાસભ્‍ય શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખશ્રી સહિત અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

vartmanpravah

ભર બપોરે ઉકળાટના માહોલ વચ્‍ચે વાદળોમાં છવાયો અંધારપટ્ટઃ કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ સ્‍કૂલના વિદ્યાર્થીઓ યુવા ઉત્‍સવમાં ઝળકયા

vartmanpravah

Leave a Comment