Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.20: મધ્‍યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઈ પટેલે આજે નવસારી શહેરના વિવિધ સ્‍થળની મુલાકાત લીધી હતી.
રાજ્‍યપાલશ્રીએ નવસારીના ઉન ખાતે સાંઈબાબા મંદિરની મુલાકાત કરી, ટ્રસ્‍ટીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાંઈબાબાના ટ્રસ્‍ટીશ્રીઓએ રાજ્‍યપાલશ્રીને આવકારી, સન્‍માન કર્યુ હતું. ત્‍યારબાદ રાજ્‍યપાલ શ્રી જુનાથાણા સ્‍થિત શનિદેવ મંદિર ખાતે શ્રી ગણેશ સ્‍થાપનમાં ઉપસ્‍થિત રહી પૂજા-અર્ચના કરી હતી.
રાજ્‍યપાલશ્રી નવસારીની મુલાકાત દરમિયાન ગુજરાત ગાર્ડિયનના પત્રકાર સ્‍વ.શ્રી ધનેશભાઈ પારેખનું થોડા સમય પહેલા હૃદય હુમલાથી મૃત્‍યુપામ્‍યા હતાં. તેમના ઘરે જઈ રાજ્‍યપાલ શ્રી મંગુભાઈ પટેલે સ્‍વ.શ્રી ધનેશભાઈના ધર્મપત્‍ની અને તેમના પરિવારને સાંત્‍વના પાઠવી હતી.
આ અવસરે નવસારીના ધારાસભ્‍ય શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખશ્રી સહિત અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

વહેલી સવારે પારડી હાઈવે સ્‍થિત રોહિત ખાડી પાસે 5 વાહનો વચ્‍ચે અકસ્‍માત: મુંબઈ તરફના ટ્રેક પર સર્જાયો ભારે ટ્રાફિક જામ

vartmanpravah

ચીખલી થાલામાં મુખ્ય માર્ગ ઉપર કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર હોવાની લેખિત રજૂઆત બાદ ટીડીઅો દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

Leave a Comment