March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘરફોડ ચોરીના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડતી ખેરગામ પોલીસ

પ જેટલા ચોરીના અનડિટેક્‍ટ ગુનાઓ શોધી કાઢી કુલ
રૂા. 4,69,600નો મુદ્દામાલ રીકવર કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.20: ખેરગામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો બનેલ જે ગુનાને નવસારી પોલીસ અધિક્ષક ડો. સુશીલ અગ્રવાલે તાત્‍કાલિક શોધી કાઢવા સૂચના આપેલ હોય તથા નવસારી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે. રાયના જરૂરી માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી ડી.આર.પઢેરીયા તથા ખેરગામ પોલીસ ટીમ ટેકનિકલ સોર્ર્સ તથા ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મેળવી સદર ગુનો ડિટેક્‍ટ કરી બે રીઢા ગુનેગારો (1) જ્‍વલીત ઉર્ફે ચકો દિપકભાઈ સોમાભાઈ ધો. પટેલ, રહે. ખેરગામ ચીખલી રોડ, કુમાર શાળાની બાજુમાં, તા.ખેરગામ, જી. નવસારી તથા (2) ધર્મેશભાઈ ઉર્ફે ધમો નટુભાઈ કરશનભાઈ રાઠોડ, રહે. ખેરગામ શામળા ફળિયા, તા.ખેરગામ, જી.નવસારીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડી પાડી અને આરોપીઓની કડક પુપછપરડ કરતા અન્‍ય ચોરીના ચાર ગુનાઓ તેઓએ કબુલતા ચોરીના તમામ પાંચેય ગુનામાં ગયેલ મુદ્દામાલને સદર આરોપીઓ પાસેથી 100 ટકા રીકવર કરી ગુનામાં ગયેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા બે મોટર સાયકલ તથા 3 મોબાઈલ મળીકુલ્લે રૂા. 4,69,600નો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેરગામ પોલીસ ટીમના પીએસઆઈ શ્રી ડી.આર. પઢેરીયા, એએસઆઈ કૃણાલભાઈ મોહનભાઈ, અ.હે.કો. બિપીનભાઈ કાંતુભાઈ, ગુણવંતભાઈ નાગરાજભાઈ, હિતેશભાઈ નટુભાઈ, અ.પો.કો. જયદીપ ચીમનભાઈ, સતિષભાઈ બાબુભાઈ, દિવ્‍યેશભાઈ બળવંતભાઈ, રિતેશભાઈ મહેશભાઈ, કમલેશભાઈ ગુલાબભાઈ, બ્રિજેશકુમાર કિશોરચંદ્ર તથા વિરેનભાઈ ગમનભાઈએ ચોરીનો ભેદ ઉકેલવામાં કામગીરી બજાવી હતી.

Related posts

દાનહઃ અથાલના આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવા સંદર્ભે ‘ભારત આદિવાસી પાટી’ દ્વારા એસ.પી.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment