February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘરફોડ ચોરીના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડતી ખેરગામ પોલીસ

પ જેટલા ચોરીના અનડિટેક્‍ટ ગુનાઓ શોધી કાઢી કુલ
રૂા. 4,69,600નો મુદ્દામાલ રીકવર કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.20: ખેરગામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો બનેલ જે ગુનાને નવસારી પોલીસ અધિક્ષક ડો. સુશીલ અગ્રવાલે તાત્‍કાલિક શોધી કાઢવા સૂચના આપેલ હોય તથા નવસારી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે. રાયના જરૂરી માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી ડી.આર.પઢેરીયા તથા ખેરગામ પોલીસ ટીમ ટેકનિકલ સોર્ર્સ તથા ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મેળવી સદર ગુનો ડિટેક્‍ટ કરી બે રીઢા ગુનેગારો (1) જ્‍વલીત ઉર્ફે ચકો દિપકભાઈ સોમાભાઈ ધો. પટેલ, રહે. ખેરગામ ચીખલી રોડ, કુમાર શાળાની બાજુમાં, તા.ખેરગામ, જી. નવસારી તથા (2) ધર્મેશભાઈ ઉર્ફે ધમો નટુભાઈ કરશનભાઈ રાઠોડ, રહે. ખેરગામ શામળા ફળિયા, તા.ખેરગામ, જી.નવસારીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડી પાડી અને આરોપીઓની કડક પુપછપરડ કરતા અન્‍ય ચોરીના ચાર ગુનાઓ તેઓએ કબુલતા ચોરીના તમામ પાંચેય ગુનામાં ગયેલ મુદ્દામાલને સદર આરોપીઓ પાસેથી 100 ટકા રીકવર કરી ગુનામાં ગયેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા બે મોટર સાયકલ તથા 3 મોબાઈલ મળીકુલ્લે રૂા. 4,69,600નો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેરગામ પોલીસ ટીમના પીએસઆઈ શ્રી ડી.આર. પઢેરીયા, એએસઆઈ કૃણાલભાઈ મોહનભાઈ, અ.હે.કો. બિપીનભાઈ કાંતુભાઈ, ગુણવંતભાઈ નાગરાજભાઈ, હિતેશભાઈ નટુભાઈ, અ.પો.કો. જયદીપ ચીમનભાઈ, સતિષભાઈ બાબુભાઈ, દિવ્‍યેશભાઈ બળવંતભાઈ, રિતેશભાઈ મહેશભાઈ, કમલેશભાઈ ગુલાબભાઈ, બ્રિજેશકુમાર કિશોરચંદ્ર તથા વિરેનભાઈ ગમનભાઈએ ચોરીનો ભેદ ઉકેલવામાં કામગીરી બજાવી હતી.

Related posts

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

24 પુસ્‍તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસકામોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

ધરમપુરમાં 35 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ મંદિરે ચૈત્રી નવરાત્રિ પર્વે દેવી ભાગવત કથાનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

Leave a Comment