December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: આજના સમયમાં સમાજમાં કેન્‍સરને લગતા રોગોના ઘણા બનાવો બનતા હોય છે અને ખાસ કરીને નાના બાળકોમાં આ જીવલેણ કેન્‍સરનું પ્રમાણ વધતુ જ જાય છે અને આ કેન્‍સરના રોગ નાના બાળકોમાં ન વધે તેવા માનવીય ઉદ્‌ેશ સાથે લાયન્‍સ ક્‍લબ ઓફ અગ્નિવિર દ્વારા સંયુક્‍ત રીતે નાના બાળકોમાં કેન્‍સરના રોગ વિશે જાણકારી આપવા અને અગમચેતીના ભાગરૂપે શું કરવું તે માટે ચણોદમાં આવેલ મરાઠી માધ્‍યમિક શાળામાં સેમિનાર યોજવામાં આવ્‍યો હતો. આ સેમિનારમાં 21તદ્દ સેન્‍ચુરી હોસ્‍પિટલના ડો.અદિતિ નાડકર્ણીએ બાળકો તથા તેમના વાલીઓ સહિત સ્‍કૂલના શિક્ષકોનું કાઉન્‍સિલીંગ કરીને જણાવેલ કે તમને કોઈપણ શારીરિક તકલીફ લાગે એટેલ ડોક્‍ટરની સલાહ લેવી તથા જંકફુડ વિગેરે લેવુ નહીં અને માત્ર સાત્‍વિક ભોજન ઉપર જ વધારે આધાર રાખવો. આ સમયે ડો.ગૌરાંગભાઈ પટેલ, ડો.સુનિલભાઈ પટેલે પણ માર્ગદર્શન આપ્‍યુ હતું.
મરાઠી માધ્‍યમિક શાળાના પ્રિન્‍સિપાલ વંદનાબેન સાવંત તથા શિક્ષકો દ્વારા માનવીય સેમિનાર બદલ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી અને લાયન્‍સ ક્‍લબ ઓફ અગ્નિવિરના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આવા માનવીય કાર્ય સમયે ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ડિસ્‍ટ્રીક્‍ટના જીએમટી/ જીઈટી કોઓર્ડીનેટર લા.મોનાબેનદેસાઈ, લા.હિનાબેન પટેલ, રીજીયન ચેરમેન લા.પીનાકીનભાઈ મિષાી તથા ક્‍લબના પ્રમુખ લા.સંધ્‍યાબેન ચિત્તોડકર તથા લા.અલ્‍કાબેન, સભ્‍યો લા.શરદભાઈ ચિત્તોડકર, લા.નીલોફર શેખ, લા.જ્‍યોતીબાલા જાડેજા વિગેરે મિત્રો હાજર રહ્યા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએ દ્વારા કાર્ટસ્‍વીલ ખાતે ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

વાપીમાં રોડના ખાડા પૂજન કરી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પાલિકાને 10 દિવસમાં ખાડા પુરવા આપેલું અલ્‍ટિમેટમ

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

Leave a Comment