September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: આજના સમયમાં સમાજમાં કેન્‍સરને લગતા રોગોના ઘણા બનાવો બનતા હોય છે અને ખાસ કરીને નાના બાળકોમાં આ જીવલેણ કેન્‍સરનું પ્રમાણ વધતુ જ જાય છે અને આ કેન્‍સરના રોગ નાના બાળકોમાં ન વધે તેવા માનવીય ઉદ્‌ેશ સાથે લાયન્‍સ ક્‍લબ ઓફ અગ્નિવિર દ્વારા સંયુક્‍ત રીતે નાના બાળકોમાં કેન્‍સરના રોગ વિશે જાણકારી આપવા અને અગમચેતીના ભાગરૂપે શું કરવું તે માટે ચણોદમાં આવેલ મરાઠી માધ્‍યમિક શાળામાં સેમિનાર યોજવામાં આવ્‍યો હતો. આ સેમિનારમાં 21તદ્દ સેન્‍ચુરી હોસ્‍પિટલના ડો.અદિતિ નાડકર્ણીએ બાળકો તથા તેમના વાલીઓ સહિત સ્‍કૂલના શિક્ષકોનું કાઉન્‍સિલીંગ કરીને જણાવેલ કે તમને કોઈપણ શારીરિક તકલીફ લાગે એટેલ ડોક્‍ટરની સલાહ લેવી તથા જંકફુડ વિગેરે લેવુ નહીં અને માત્ર સાત્‍વિક ભોજન ઉપર જ વધારે આધાર રાખવો. આ સમયે ડો.ગૌરાંગભાઈ પટેલ, ડો.સુનિલભાઈ પટેલે પણ માર્ગદર્શન આપ્‍યુ હતું.
મરાઠી માધ્‍યમિક શાળાના પ્રિન્‍સિપાલ વંદનાબેન સાવંત તથા શિક્ષકો દ્વારા માનવીય સેમિનાર બદલ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી અને લાયન્‍સ ક્‍લબ ઓફ અગ્નિવિરના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આવા માનવીય કાર્ય સમયે ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ડિસ્‍ટ્રીક્‍ટના જીએમટી/ જીઈટી કોઓર્ડીનેટર લા.મોનાબેનદેસાઈ, લા.હિનાબેન પટેલ, રીજીયન ચેરમેન લા.પીનાકીનભાઈ મિષાી તથા ક્‍લબના પ્રમુખ લા.સંધ્‍યાબેન ચિત્તોડકર તથા લા.અલ્‍કાબેન, સભ્‍યો લા.શરદભાઈ ચિત્તોડકર, લા.નીલોફર શેખ, લા.જ્‍યોતીબાલા જાડેજા વિગેરે મિત્રો હાજર રહ્યા હતા.

Related posts

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

vartmanpravah

નર્મદાના સાહિત્‍યકાર દીપક જગતાપને ‘નર્મદારત્‍ન એવોર્ડ-2024′ એનાયત

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

Leave a Comment