Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડી તાલુકાના ટુકવાડા-મોરાઈ ગામના મધ્‍યેથી પસાર થતી કોલક નદીમાં વાપી કબ્રસ્‍તાન રોડ ખાતે રહેતા છ જેટલા બાળકો સાયકલ લઈ ન્‍હાવા માટે કોલક નદીના ડેમ પાસે આવ્‍યા હતા.
આ છ પૈકી પાંચ બાળકો ન્‍હાવા માટે નદીમાં ઉતર્યા હતા પરંતુ તરતા આવડતુ ન હોય પાંચ પૈકી બે કિનારે આવી જતા બચી જવા પામ્‍યા હતા જ્‍યારે અન્‍ય ત્રણ બાળકો ડૂબવા લાગ્‍યા હતા.
આ દરમ્‍યાન પિચિંગ પાસેથી પસાર થતા બચુભાઈ નામનાવ્‍યક્‍તિએ બચાવો બચાવોની બૂમો સાંભળતા પીચિંગ પાસે ડુબી રહેલ એક બાળકને સમય સૂચકતા વાપરી બાજુમાં પડેલ રસ્‍સીનો ટુકડો પાણીમાં નાખી હાથ પકડી એક બાળકને બહાર ખેચી લઈ જીવ બચાવ્‍યો હતો. ત્‍યારબાદ બચુભાઈએ તો ટુકવાડા ખાતે રહેતા શૈલેષભાઈને ફોન દ્વારા ઘટનાની જાણ કરતા અને બે છોકરાઓ પૈકી એક છોકરો પીલર પકડીને બ્રિજની નીચે ઉભો રહ્યો હોય તાત્‍કાલિક દોરડું લઈને આવી જવાનું કહેતા શૈલેષભાઈ પોતાના છોકરા સમર્થ સાથે તાત્‍કાલિક સ્‍થળ પર આવી પહોંચ્‍યા હતા અને સમર્થ એ બ્રિજ પરથી દોરડું નાખી પીલર પકડીને ઊભા રહેલ બાળકને સપોર્ટ આપ્‍યો હતો. ત્‍યારબાદ ટુકવાડાના તરવૈયા એવા અલ્‍કેશભાઈ અને વિજયભાઈએ આ બીજા બાળકને પણ રેસકયૂ કરી બચાવી લીધો હતો. આમ ન્‍હાવા ઉતરેલા પાંચ પૈકી ચાર બાળકોને બચાવી લેવાયા છે, જ્‍યારે એક લાપતા બન્‍યો હતો. એમને શોધવા માટે પારડી ચંદ્રપુર ખાતેની ચંદ્રપુર લાઈફ સેવર ટ્રસ્‍ટના યુવાનો આજરોજ સવારે જઈ શોધખોળ આદરતા મૃત હાલતમાં એક બાળક મળી આવતા સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ઘટનાની જાણ થતા પારડી પોલીસના પી.એસ.આઈ. વસાવા પણ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ગયા હતા.

Related posts

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા -2022” યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની સફળતાની પ્રશંસા કરી

vartmanpravah

સેલવાસઃ ‘આદિવાસી ભવન’ના ભાડાથી છેલ્લા 20 વર્ષમાં રૂા.52 કરોડ 80 લાખથી ડેલકર પરિવારે કરેલો પોતાનો વિકાસઃ યુવા નેતા સની ભીમરાનો ઘટસ્‍ફોટ

vartmanpravah

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

Leave a Comment