January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકાના મલિયાધરા, ઘેજ, ચરીમાં પ્રાંત અધિકારીની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઈ: વડોદરા-મુંબઈ એક્‍સપ્રેસ-વેની વળતર રકમ ચૂકવ્‍યા વિના કબજા પાવતી પર સહી કરાવવા સામે ખેડૂતોએ વિરોધ કર્યો

ખેડૂતો દ્વારા ઘર, ઝાડોનું વળતર અલગથી ચુકવવાની માંગ કરવામાં આવી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.07: વડોદરા, મુંબઈ એક્‍સપ્રેસ-વે માં સંપાદિત જમીનના વળતર મેળવવા માટે મલિયાધરા, ધેજ અને ચરી સહિતના ગામોમાં સંયુક્‍ત ખાતેદારોમાં નાના-મોટા વિવાદના કારણે ખેડૂતો વળતર મેળવી શકતા નથી અને બીજી તરફ વાંધા અરજીની સુનાવણીમાં પણ કેટલાક કિસ્‍સાઓમાં નિરાકરણ ન આવતા અસરગ્રસ્‍ત ખેડૂતો જોઈન્‍ટ સર્વેમાં થયેલા પંચરોજકામ મુજબ એવોર્ડમાં જાહેર કરાયેલ વિગત અનુસાર ઝાડો તથા બાંધકામનું અલગથી વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે અને આ અંગે સાંસદ અનેપ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કાયદાની આંટીઘૂટી આગળ ધરી જમીન સંપાદનના અધિકારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી.
આ દરમિયાન આજરોજ નવસારીના પ્રાંત અને જમીન સંપાદનના સક્ષમ અધિકારી રાજેશભાઈ બોરડ, નાયબ મામલતદાર કુલદીપ પરમાર, સર્કલ ઓફિસર સુરેશભાઇ દેસાઈ સહિતના અધિકારીઓ દ્વારા મલિયાધરા, ધેજ અને ચરી સહિતના ગામોમાં અસરગ્રસ્‍ત ખેડૂતો સાથે બેઠક યોજી વિવાદવાળા કિસ્‍સાઓમાં નિરાકરણ માટે પ્રયત્‍ન હાથ ધર્યા હતા. અને ખેડૂતોને કબજા પાવતી પર સહી કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે ખેડૂતો વિવાદ હોય તેવા કિસ્‍સામાં એવોર્ડમાં દર્શાવેલ વિગત મુજબ સંબંધિત ખેડૂતોને ઝાડો અને બાંધકામોનું વળતર અલગથી ચૂકવવા માંગ પર અડગ રહ્યા હતા અને મોટેભાગના ખેડૂતોએ કબ્‍જા પાવતી પર સહી કરી ન હતી.
બીજી તરફ પ્રાંત અધિકારી રાજેશભાઈ બોરડે ખેડૂતોને વિવાદ વાળા કિસ્‍સામાં ઝડપથી અરસ-પરસ સમજૂતીથી નિરાકરણ લાવવા જણાવી તેમ ના કરશો તો વળતરની રકમ સરકારમાં પરત જમા કરાવી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્‍ચારી હતી. એક્‍સપ્રેસ-વે નું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે ત્‍યારે ખેડૂતો પણ સહકાર આપે તે જરૂરી છે તેમજણાવ્‍યું હતું. બેઠકમાં કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ, સરપંચ રાકેશભાઈ પટેલ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પોતાની તમામ શક્‍તિનો ઉપયોગ કરી દાનહને આકર્ષક અદ્યતન અને શ્રેષ્‍ઠ આદર્શ જિલ્લો બનાવવા પ્રશાસન મક્કમ

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ અને રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર દ્વારા દાનહમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ નિમિત્તે કળષિ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે સમારોહનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

vartmanpravah

Leave a Comment