Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ
અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડૉ. વિવેક કુમારની ઉપસ્‍થિતિમાં તમામ સરકારી વાહનો, ઓટો રિક્ષા, ટેક્‍સી અને રાજ્‍ય પરિવહન બસોના ડ્રાઈવરોને તાલીમ આપી એનાયત કરાયા પ્રમાણપત્રો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03 : પરિવહન વિભાગ, દીવ દ્વારા વેસ્‍ટર્ન ઈન્‍ડિયા ઓટોમોબાઈલ એસોસિએશનના સહયોગથી આજે સવારે 10:30 વાગ્‍યે મલાલા ઓડિટોરિયમ-દીવ ખાતે તમામ સરકારી વાહનો, ઓટો રિક્ષા, ટેક્‍સી અને રાજ્‍ય પરિવહન બસોના ડ્રાઈવરો માટે ‘સલામત ડ્રાઇવિંગ’ અને ‘માર્ગ સલામતી કૌશલ્‍ય’ની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડૉ. વિવેક કુમાર ઉપસ્‍થિત રહ્યા હતા. તાલીમ કાર્યક્રમની શરૂઆત મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડૉ. વિવેક કુમારના હસ્‍તે દીપ પ્રાગટ્‍યથી કરવામાં આવી હતી. ત્‍યારબાદ ઉપસ્‍થિત તમામ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
અત્રે આયોજીત તાલીમનો ઉદ્દેશ્‍ય મુસાફરો, રાહદારીઓ અને સાથી માર્ગ વપરાશકર્તાઓની સલામતી સુનિヘતિ કરવા માટે દીવ જિલ્લાના ડ્રાઇવરોને જરૂરીજ્ઞાન અને કૌશલ્‍યથી સજ્જ કરવાનો હતો, જેથી માર્ગ અકસ્‍માતો અસરકારક રીતે ઘટાડી શકાય અને તમામ ડ્રાઈવરો વધુ સારી રીતે તૈયાર થઈ શકે અને રસ્‍તા પર પડકારરૂપ અને કટોકટીની પરિસ્‍થિતિઓનો સામનો કરી શકે.
આ તાલીમમાં ભાગ લેનારા તમામ ડ્રાઈવરોએ તેમના ડ્રાઇવિંગ લાયસન્‍સની અસલ અને નકલ બંને સાથે લાવવાની જરૂર હતી. તાલીમ મેળવનાર ડ્રાઇવરોને ઉપસ્‍થિત અધિકારીઓ દ્વારા પ્રમાણપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે નાયબ કલેક્‍ટર શ્રી શિવમ મિશ્રા, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર શ્રી સંદીપ રૂપેલા, અધિક્ષક કલેક્‍ટર શ્રી ડી.બી.આહીર, ટ્રાફિક ઇન્‍ચાર્જ શ્રી આર.કે.ગાંવિત અને મદદનીશ મોટર વાહન નિરીક્ષક શ્રી અભિનવ પટેલ સહિત 200 જેટલા લાભાર્થીઓ ડ્રાઈવરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

vartmanpravah

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્‍યા યુવાનની લાશ તણાઈ આવી

vartmanpravah

Leave a Comment