January 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03 : દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન તેમજ દીવના પોલીસ અધિક્ષક શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરની દેખરેખ હેઠળ ફુદમ ખાતે ‘જિલ્લા બાળ સુરક્ષાએકમ દીવ’ દ્વારા બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ બાળકો માટે વિવિધ વિભાગો કાર્યરત છે. જેમાં જિલ્લા કક્ષાએ બાળ કલ્‍યાણ સમિતિ, કિશોર ન્‍યાય બોર્ડ, સ્‍પેશ્‍યલ જુવેનાઇલ પોલીસ યુનિટ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ હોય છે. આ દરેક વિભાગોનું મુખ્‍ય કાર્ય કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો તેમજ બાળકોના વિવિધ અધિકારો, સંરક્ષણ તેમજ બાળકોની વિવિધ જરૂરિયાતો, આવશ્‍યકતાઓ તેમજ તેમની વિવિધ સમસ્‍યાઓ વગેરેના સમાધાન માટે આ વિભાગો દ્વારા કાર્ય કરવામાં આવે છે. આ દરેક વિભાગોનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દરેક બાળકોની જે તે આવશ્‍યકતા અને સમસ્‍યાઓનું સમાધાન કરી તેમને સમાજના મુખ્‍ય પ્રવાહમાં પ્રસ્‍થાપિત કરવાનું છે.
જેના અનુસંધાનમાં આજે દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન તેમજ દીવ પોલીસ અધિક્ષક શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરની દેખરેખ હેઠળ ફુદમ ખાતે આવેલ જિલ્લા પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં મદદનીશ સરકારી વકીલ શ્રીમતી અર્ચના ગાંધી, એસ.એચ.ઓ. કોસ્‍ટલ પોલીસસ્‍ટેશન વણાંકબારા શ્રી નિલેશ કાટેકર, એસ.એચ.ઓ. દીવ પોલીસ સ્‍ટેશન શ્રીમતી દિપીકા ભગત તેમજ બાળ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષા શ્રીમતી નિલમ ફૂગરોની ઉપસ્‍થિતિમાં બાળ કલ્‍યાણ સમિતિ, કિશોર ન્‍યાય બોર્ડ, સ્‍પેશ્‍યલ જુવેનાઇલ પોલીસ યુનિટ તથા અન્‍ય એ.એસ.આઈ. અને હેડ કોન્‍સ્‍ટેબલ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ વગેરે વિભાગો માટે બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો માટે સુવ્‍યવસ્‍થિત રીતે કઈ રીતે કામગીરી કરી શકાય તેમજ ભારત સરકાર દ્વારા અમલીકળત કરવામાં આવેલ બાળકો સાથે સંબંધિત વિવિધ કાયદાઓ અને અધિનિયમોમાં દર્શાવ્‍યા મુજબની પ્રક્રિયાને સમજવા ખાસ કરીને બાળકો માટેનો કિશોર ન્‍યાય (કાળજી અને રક્ષણ) અધિનિયમ, 2015 વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્‍થિત દરેક લોકોને આ અધિનિયમ વિશે વિસ્‍તૃતમાં માહિતી પૂરી પાડવામાં આવી હતી.વધુમાં બાળકો સંબંધિત અધિનિયમોમાં દર્શાવ્‍યા મુજબ દરેક વિભાગોની અલગ-અલગ ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે પણ વિગતવાર ચર્ચા-વિચારણા અનેક્રિયા-પ્રતિક્રિયા કરવામાં આવી હતી. દરેક વિભાગ વતી અધિકારી તેમજ કર્મચારીઓએ ઉપસ્‍થિત રહી આ મિટીંગને સફળ બનાવવામાં પોતાનો સહયોગ અને યોગદાન પૂરું પાડયું હતું.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

વાપી બલીઠા રેલવે ટ્રેક નજીક અજાણ્‍યા યુવાનની લાશ મળી : શરીર ઉપર ઘા ના નિશાન થકી હત્‍યાની આશંકા

vartmanpravah

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment