October 13, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીસનું નિદાન કરવામાં આવ્‍યું : વાપીમાં 300 ઉપરાંત અને નાનાપોંઢામાં 159 દર્દીઓને તપાસાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ સાથે જોડાયેલ વાપીના ડોક્‍ટર સેલ અને નાનાપોંઢાના ડોક્‍ટર સેલના તબીબોએ ભારત રત્‍ન વડા પ્રધાન અટલ બિહારીના જન્‍મ દિનની ઉજવણી નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજીને કરી હતી.
ડિસેમ્‍બર 25 એટલે લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો જન્‍મદિન તેમના જન્‍મદિનની ઉજવણી વાપી-નાનાપોંઢાના ભાજપ ડોક્‍ટર સેલના તબીબોએ નિઃશુલ્‍ક બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીશ નિદાન કેમ્‍પ યોજીને કરી હતી. વાપીની વિવિધ હોસ્‍પિટલમાં ડોક્‍ટર સેલના ડો.તુષાર, ડો.પરિત, ડો.સુરેશ ભાનુશાલી, ડો.કૃણાલી પટેલ, ડો.સુનીલ ટેલર જેવા અનેક ડોક્‍ટરોએ સેવા આપી હતી. વાપીમાં 300 ઉપરાંત દર્દીઓના સુગર અને બી.પી. માપવામાં આવ્‍યા હતા તે પ્રમાણે નાનાપોંઢા પંચાયત ઓફીસમાંપણ ડોક્‍ટર સેલ દ્વારા નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં 159 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ડો.દિનેશ ચૌધરી, ડો.મેહુલ પટેલ જેવા તબીબોએ સેવા આપી હતી. કેમ્‍પમાં ભાજપના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને બે મહિનાથી પગાર નહીં ચૂકવાતા ઉચ્‍ચસ્‍તરે કરાયેલી રજૂઆત

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી પરંતુ સાવચેતી જરૂરી છે

vartmanpravah

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

vartmanpravah

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment