September 15, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીસનું નિદાન કરવામાં આવ્‍યું : વાપીમાં 300 ઉપરાંત અને નાનાપોંઢામાં 159 દર્દીઓને તપાસાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ સાથે જોડાયેલ વાપીના ડોક્‍ટર સેલ અને નાનાપોંઢાના ડોક્‍ટર સેલના તબીબોએ ભારત રત્‍ન વડા પ્રધાન અટલ બિહારીના જન્‍મ દિનની ઉજવણી નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજીને કરી હતી.
ડિસેમ્‍બર 25 એટલે લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો જન્‍મદિન તેમના જન્‍મદિનની ઉજવણી વાપી-નાનાપોંઢાના ભાજપ ડોક્‍ટર સેલના તબીબોએ નિઃશુલ્‍ક બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીશ નિદાન કેમ્‍પ યોજીને કરી હતી. વાપીની વિવિધ હોસ્‍પિટલમાં ડોક્‍ટર સેલના ડો.તુષાર, ડો.પરિત, ડો.સુરેશ ભાનુશાલી, ડો.કૃણાલી પટેલ, ડો.સુનીલ ટેલર જેવા અનેક ડોક્‍ટરોએ સેવા આપી હતી. વાપીમાં 300 ઉપરાંત દર્દીઓના સુગર અને બી.પી. માપવામાં આવ્‍યા હતા તે પ્રમાણે નાનાપોંઢા પંચાયત ઓફીસમાંપણ ડોક્‍ટર સેલ દ્વારા નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં 159 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ડો.દિનેશ ચૌધરી, ડો.મેહુલ પટેલ જેવા તબીબોએ સેવા આપી હતી. કેમ્‍પમાં ભાજપના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment