April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમરીયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલસાયન્‍સીસ કોલેજ વાપીના એન.એસ.એસ. યુનિટના સ્‍વયં સેવકો ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત સ્‍વચ્‍છતા માટે શ્રમદાન તા.1/10/2023 ના દિને વાપી નગરપાલિકાના સહયોગથી કૂલ 72 સ્‍વયં સેવકોએ શ્રમદાનમાં ભાગ લીધો હતો. વાપી નગરપાલિકા તરફથી જુદા જુદા 4 વિભાગમાં વહેચીને વાપીના વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધર્યુ હતું. આ અભિયાન દરમિયાન દરેક સ્‍વયં સેવકોએ ખૂબ જ દિલથી અને ખુશીથી સ્‍વચ્‍છતાનું કામ કર્યું હતું. સફાઈ અભિયાન દરમ્‍યાન જુદી જુદી સોસાયટીઓમાં સ્‍વચ્‍છતાના પાઠ ભણાવ્‍યા હતા. તેમજ દરેક સ્‍વયં સેવકોએ પણ પોતાનું ઘર, શેરી અને દેશને સ્‍વચ્‍છ રાખશે અને જેઓ અસ્‍વચ્‍છતા ફેલાવશે તેમને સ્‍વચ્‍છતાના પાઠ ભણાવશે એવી પ્રતિજ્ઞા લીધી હતી. આ સ્‍વચ્‍છતા અભિયાન એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ કૉ-ઓર્ડીનેટર મદદનીશ પ્રાદ્યાપક ડૉ.ખુશ્‍બુ દેસાઈ અને એન.એસ.એસ. કમિટીના સભ્‍ય મદદનીશ પ્રાદ્યાપક શ્રી નકુમ ખોડાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આમ સ્‍વચ્‍છતા અભિયાન સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી.ચૌહાણે પ્રાદ્યાપકો અને સ્‍વયં સેવકોનો આભાર માની દેશની સેવામાં ભાગીદાર બનતા અભિનંદન આપી દેશની તમામ વિકાસની યોજનાઓ અને સેવામાં સહકાર આપવા માટે આહવાન આપ્‍યું હતું.

Related posts

દમણમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા યોજાયેલી ભવ્‍ય કાર રેલી

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલનો નવતર અભિગમઃ ગ્રામ્‍ય વિસ્‍તારોની સમસ્‍યા જાણવા સરપંચો અને જિ.પં. સભ્‍યો સાથે કરેલી બેઠક

vartmanpravah

વાપી કેબીએસ ઍન્ડ નટરાજ કોલેજમાં વાર્ષિક દિનની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દમણઃ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા-અંગ્રેજી માધ્‍યમના શિક્ષિકાઓ રંજનબેન સી. પટેલ અને રેખાબેન આર. પટેલે લીધી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ

vartmanpravah

વાપી ભાજપ સંગઠને ગુંજન વંદેમાતરમ્‌ ચોકમાં હાય હાયના નારા સાથે અધીર રંજનના પૂતળાનું દહન કર્યું

vartmanpravah

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment