March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

જે કામ પી.ડબલ્‍યુ.ડી. અને હાઈવે ઓથોરીટીનું છે પણ જાહેર હિતમાં નોટિફાઈડે શરૂ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વાપી સહિત વલસાડ જિલ્લામાં વરસાદે જુના તમામ રેકર્ડ તોડીને ઓગસ્‍ટ મહિનામાં પુરી એક સદી ફટકારી દીધી છે. પરિણામે વાપી શહેરના તમામ મોટાભાગના રોડોએ જવાબ આપી દીધો હતો. એક-બે ફૂટના અંતરે ઠેર ઠેર ખાડા પડી ચૂક્‍યા હતા. જેને લઈ ગંભીર અકસ્‍માતોની ભેટ પણ વરસાદે આપી છે. પરંતુ વરસાદી ખાડા પુરવાની જવાબદારી જે તે એજન્‍સીઓ છે. ભૂતકાળમાં ક્‍યારે પણ ના જોવા મળી હોય તેવી અક્ષમ્‍ય બેદરકારી હાઈવે ઓથોરીટી અને પી.ડબલ્‍યુ.ડી.એ દાખવી છે. નાગરિકો અકસ્‍માતોના ભોગ બનતા રહે છે પરંતુ હજુ સુધી પ્રોપર રોડોના ખાડાઓ પુરવાની કામગીરી થતી જોવા મળતી નથી તેથી વાપી હાઈવે વિસ્‍તારમાં નોટીફાઈડ ઓથોરીટીએ હાઈવે ઉપરના ખાડા પુરવાની કવાયત હાથ ધરી છે.
જાહેર રોડોની મરામતની જવાબદારી પી.ડબલ્‍યુ.ડી. અને હાઈવે ઓથોરીટીની છે. આ વર્ષે બન્ને એજન્‍સીએ આંખેપાટા બાંધીને આમ જનતાને રોડોના ખાડાઓમાં પટકાવા ધકેલી દીધા છે. સૌથી વધારે હાઈવે ઓથોરીટીની બેદરકારી જોવા મળી રહી છે. જિલ્લામાં ખાડાઓ પર વાહનો પટકાતા સાત જેટલા નિર્દોષોએ જીવ ગુમાવી ચૂક્‍યા છે ત્‍યારે વાપી હાઈવે અને ઈન્‍ટરીયર રોડો ઉપરના ખાડા પુરવાની મરામતની કામગીરી અંતે નોટીફાઈડે શરૂ કરી દીધી છે. જેથી હાલ તો વાપી વાસીઓને કામચલાઉ રોડના ખાડાઓથી છૂટકારો મળશે પરંતુ કાયમી ઉકેલ તો હાઈવે ઓથો. અને પી.ડબલ્‍યુ.ડી. જ લાવી શકે. જેવુ એ રહ્યું કે, તેઓનું મુહૂર્ત ક્‍યારે નિકળે છે!!
—-

Related posts

વંકાલ હાઈસ્‍કૂલના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડામાં પ્‍લાસ્‍ટિક મુક્‍ત શાળા મહા અભિયાનનો આરંભ

vartmanpravah

અમદાવાદ બરવાળા લઠ્ઠાકાંડ પ્રકરણ અંતર્ગત વાપી પોલીસે મિથેલોનના ઉપયોગ કરતા ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ યોજી

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ અને રાજ્‍યમંત્રી શ્રીપદ નાઈક સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment