January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

જે કામ પી.ડબલ્‍યુ.ડી. અને હાઈવે ઓથોરીટીનું છે પણ જાહેર હિતમાં નોટિફાઈડે શરૂ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વાપી સહિત વલસાડ જિલ્લામાં વરસાદે જુના તમામ રેકર્ડ તોડીને ઓગસ્‍ટ મહિનામાં પુરી એક સદી ફટકારી દીધી છે. પરિણામે વાપી શહેરના તમામ મોટાભાગના રોડોએ જવાબ આપી દીધો હતો. એક-બે ફૂટના અંતરે ઠેર ઠેર ખાડા પડી ચૂક્‍યા હતા. જેને લઈ ગંભીર અકસ્‍માતોની ભેટ પણ વરસાદે આપી છે. પરંતુ વરસાદી ખાડા પુરવાની જવાબદારી જે તે એજન્‍સીઓ છે. ભૂતકાળમાં ક્‍યારે પણ ના જોવા મળી હોય તેવી અક્ષમ્‍ય બેદરકારી હાઈવે ઓથોરીટી અને પી.ડબલ્‍યુ.ડી.એ દાખવી છે. નાગરિકો અકસ્‍માતોના ભોગ બનતા રહે છે પરંતુ હજુ સુધી પ્રોપર રોડોના ખાડાઓ પુરવાની કામગીરી થતી જોવા મળતી નથી તેથી વાપી હાઈવે વિસ્‍તારમાં નોટીફાઈડ ઓથોરીટીએ હાઈવે ઉપરના ખાડા પુરવાની કવાયત હાથ ધરી છે.
જાહેર રોડોની મરામતની જવાબદારી પી.ડબલ્‍યુ.ડી. અને હાઈવે ઓથોરીટીની છે. આ વર્ષે બન્ને એજન્‍સીએ આંખેપાટા બાંધીને આમ જનતાને રોડોના ખાડાઓમાં પટકાવા ધકેલી દીધા છે. સૌથી વધારે હાઈવે ઓથોરીટીની બેદરકારી જોવા મળી રહી છે. જિલ્લામાં ખાડાઓ પર વાહનો પટકાતા સાત જેટલા નિર્દોષોએ જીવ ગુમાવી ચૂક્‍યા છે ત્‍યારે વાપી હાઈવે અને ઈન્‍ટરીયર રોડો ઉપરના ખાડા પુરવાની મરામતની કામગીરી અંતે નોટીફાઈડે શરૂ કરી દીધી છે. જેથી હાલ તો વાપી વાસીઓને કામચલાઉ રોડના ખાડાઓથી છૂટકારો મળશે પરંતુ કાયમી ઉકેલ તો હાઈવે ઓથો. અને પી.ડબલ્‍યુ.ડી. જ લાવી શકે. જેવુ એ રહ્યું કે, તેઓનું મુહૂર્ત ક્‍યારે નિકળે છે!!
—-

Related posts

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

ડાભેલ ચેકપોસ્‍ટથી ઓડી કારમાં દારૂના જથ્‍થા સાથે છત્તીસગઢના ચાર વેપારી ઝડપાયા: ચારની અટક કરી કાર સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યા

vartmanpravah

કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

Leave a Comment