July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમરીયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલસાયન્‍સીસ કોલેજ વાપીના એન.એસ.એસ. યુનિટના સ્‍વયં સેવકો ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત સ્‍વચ્‍છતા માટે શ્રમદાન તા.1/10/2023 ના દિને વાપી નગરપાલિકાના સહયોગથી કૂલ 72 સ્‍વયં સેવકોએ શ્રમદાનમાં ભાગ લીધો હતો. વાપી નગરપાલિકા તરફથી જુદા જુદા 4 વિભાગમાં વહેચીને વાપીના વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધર્યુ હતું. આ અભિયાન દરમિયાન દરેક સ્‍વયં સેવકોએ ખૂબ જ દિલથી અને ખુશીથી સ્‍વચ્‍છતાનું કામ કર્યું હતું. સફાઈ અભિયાન દરમ્‍યાન જુદી જુદી સોસાયટીઓમાં સ્‍વચ્‍છતાના પાઠ ભણાવ્‍યા હતા. તેમજ દરેક સ્‍વયં સેવકોએ પણ પોતાનું ઘર, શેરી અને દેશને સ્‍વચ્‍છ રાખશે અને જેઓ અસ્‍વચ્‍છતા ફેલાવશે તેમને સ્‍વચ્‍છતાના પાઠ ભણાવશે એવી પ્રતિજ્ઞા લીધી હતી. આ સ્‍વચ્‍છતા અભિયાન એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ કૉ-ઓર્ડીનેટર મદદનીશ પ્રાદ્યાપક ડૉ.ખુશ્‍બુ દેસાઈ અને એન.એસ.એસ. કમિટીના સભ્‍ય મદદનીશ પ્રાદ્યાપક શ્રી નકુમ ખોડાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આમ સ્‍વચ્‍છતા અભિયાન સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી.ચૌહાણે પ્રાદ્યાપકો અને સ્‍વયં સેવકોનો આભાર માની દેશની સેવામાં ભાગીદાર બનતા અભિનંદન આપી દેશની તમામ વિકાસની યોજનાઓ અને સેવામાં સહકાર આપવા માટે આહવાન આપ્‍યું હતું.

Related posts

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રા.પં.માં માતૃ અને વિદ્યા શક્‍તિ’નો સાક્ષાત્‍કાર

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

vartmanpravah

ઉમરગામ તાલુકાના નાહુલીમાં જાળમાં ફસાયો 8 ફૂટ લાંબો મહાકાય અજગર

vartmanpravah

Leave a Comment