Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમરીયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલસાયન્‍સીસ કોલેજ વાપીના એન.એસ.એસ. યુનિટના સ્‍વયં સેવકો ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત સ્‍વચ્‍છતા માટે શ્રમદાન તા.1/10/2023 ના દિને વાપી નગરપાલિકાના સહયોગથી કૂલ 72 સ્‍વયં સેવકોએ શ્રમદાનમાં ભાગ લીધો હતો. વાપી નગરપાલિકા તરફથી જુદા જુદા 4 વિભાગમાં વહેચીને વાપીના વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધર્યુ હતું. આ અભિયાન દરમિયાન દરેક સ્‍વયં સેવકોએ ખૂબ જ દિલથી અને ખુશીથી સ્‍વચ્‍છતાનું કામ કર્યું હતું. સફાઈ અભિયાન દરમ્‍યાન જુદી જુદી સોસાયટીઓમાં સ્‍વચ્‍છતાના પાઠ ભણાવ્‍યા હતા. તેમજ દરેક સ્‍વયં સેવકોએ પણ પોતાનું ઘર, શેરી અને દેશને સ્‍વચ્‍છ રાખશે અને જેઓ અસ્‍વચ્‍છતા ફેલાવશે તેમને સ્‍વચ્‍છતાના પાઠ ભણાવશે એવી પ્રતિજ્ઞા લીધી હતી. આ સ્‍વચ્‍છતા અભિયાન એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ કૉ-ઓર્ડીનેટર મદદનીશ પ્રાદ્યાપક ડૉ.ખુશ્‍બુ દેસાઈ અને એન.એસ.એસ. કમિટીના સભ્‍ય મદદનીશ પ્રાદ્યાપક શ્રી નકુમ ખોડાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આમ સ્‍વચ્‍છતા અભિયાન સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી.ચૌહાણે પ્રાદ્યાપકો અને સ્‍વયં સેવકોનો આભાર માની દેશની સેવામાં ભાગીદાર બનતા અભિનંદન આપી દેશની તમામ વિકાસની યોજનાઓ અને સેવામાં સહકાર આપવા માટે આહવાન આપ્‍યું હતું.

Related posts

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah

વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તાલીમ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષણ અંતર્ગત શિક્ષકો માટે મસાટ સરકારી વિદ્યાલયમાં ઈનોવેશન ફેરનું કરાયેલું આયોજન

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment