(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: લોકસભા સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે આગામી તા.04/06/2024ના રોજ મતગણતરી યોજાશે. જે કામગીરીમાં 26-વલસાડ સંસદીય મતવિસ્તારમાં સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે મતગણતરીની કામગીરીસોંપવામાં આવી છે. જેથી ચૂંટણી અધિકારીશ્રી 26-વલસાડ સંસદીય મતવિસ્તાર અને કલેકટરશ્રી આયુષ ઓક વલસાડ દ્વારા સદરહુ કામગીરી અર્થે સરકારી અધિકારીઓને 26- વલસાડ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વાઈઝ મતગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર અને માઈક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ તેઓને સોંપવામાં આવેલ કામગીરી બાબતની તાલીમનું તા.28 મેના રોજ, વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આયોજન કરવામાં આવ્યું હતું.
નિયુક્ત મતગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર અને માઈક્રો ઓબ્ઝર્વરશ્રીઓને ડિસ્ટ્રીક્ટ લેવલ માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. તાલીમમાં નિવાસી અધિક કલેકટરશ્રી અનસુયા ઝા વલસાડ દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.