February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: 21મી માર્ચ એટલે ‘‘વિશ્વ ડાઉન સિન્‍ડ્રોમ ડે” આજે વિશ્વમાં વિવિધ દિવ્‍યાંગજનોનાં શૈક્ષણિક કાર્યક્ષેત્રે કામ કરતી સંસ્‍થા, શાલા, મહાશાળાઓમાં ઉજવણી થઈ રહી છે. જેના ભાગ રૂપે મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી) સંસ્‍થામાં મંદબુધ્‍ધિનાં તથા મૂક-બધિર દિવ્‍યાંગ બાળકો સાથે ‘‘વિશ્વ ડાઉન સિન્‍ડ્રોમ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મુખ્‍ય અતિથિ તરીકે વાપી ટ્‍વીનસીટી હોસ્‍પિટલનાં ડો.શ્રી ચિન્‍તનભાઈ પટેલ વાપીના ભાગ્‍યધર પાંડા તથા સંસ્‍થાનાં પ્રમુખશ્રી ડો.મોહન બી. દેવ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત શાળાનાં તમામ બાળકો સ્‍ટાફગણ વગેરે બધા સાથે મળી આ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં અભ્‍યાસ કરતાં ડાઉન સિન્‍ડ્રોમ બાળકોને બ્‍લ્‍યુ કલરથી ફિંગર પ્રિન્‍ટ તથા બ્‍લ્‍યુ કલરનાં ફુગ્‍ગા ઉડાવવામાં આવ્‍યા હતા. આ ઉજવણી લોક જાગૃતિનાં ભાગ રૂપે કરવામાં આવી હતી. જેમાં ડો.દર્શનાબેન શાહે સરલ ગુજરાતી ભાષામાં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ” દિવ્‍યાંગ બાળકોની સમજ આપી હતી. આ દિવસની ઉજવણી વિવિધ મનોરંજન સાથે આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં સફળ બનાવવામાં આવી હતી.

Related posts

ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્‍યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક

vartmanpravah

વંકાસ ભિલાડ સંજાણ રોડ ઉપરથી તલાસરીની દસ વર્ષની બાળકીની મળી આવેલી લાશ

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

vartmanpravah

વાપી વી.આઈ.એ. ખાતે આયોજીત કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોદય સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ કરેલું સન્‍માન

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah

Leave a Comment