September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં હોટલ, હોમસ્‍ટે તથા બેડ અને બ્રેકફાસ્‍ટ(સુવાની અને નાસ્‍તા)ની સગવડ સાથે સંકળાયેલા વ્‍યવસાયીઓને તેમનું લાયસન્‍સ પ્રવાસન વિભાગ પાસેથી મેળવી લેવાનું હોય છે. પરંતુ કેટલીક હોટલો, હોમસ્‍ટે, બેડ અને બ્રેકફાસ્‍ટના ધંધા સાથે સંકળાયેલા લોકો જરૂરી રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર જ પોતાના ધંધાને ચલાવી રહ્યા હોય તેઓ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રજીસ્‍ટ્રેશન ઓફ ટુરિસ્‍ટ એક્‍ટ 1982 અંતર્ગત બનેલા નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી તેઓને પોતાનો ધંધો શરૂ કરતા પહેલાં જરૂરી લાયસન્‍સ લઈ લેવા પ્રવાસન વિભાગ દ્વારા તાકિદ કરવામાં આવી છે. લાયસન્‍સ/રજીસ્‍ટ્રેશન વગર ચાલતા આ પ્રકારના ધંધાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.
દરમિયાન જેઓએ રજીસ્‍ટ્રેશન કે લાયસન્‍સ રિન્‍યુ નહીં કરાવ્‍યું હોય તેવાઓએ પોતાની હોટલના લાયસન્‍સને રિન્‍યુ કરવાની મુદ્દતપછી લાયસન્‍સની વેલીડીટી ખતમ થઈ જતી હોય છે, તેથી લાયસન્‍સ રિન્‍યુ કરવા માટે પણ તાકિદ કરવામાં આવી છે.

Related posts

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે મળેલી રાત્રિ ચૌપાલ

vartmanpravah

માહ્યાવંશી પ્રિમીયર લીગમાં એન્‍જલ ઈલેવન ચેમ્‍પિયન : સનાયા ઈલેવન રનર્સઅપ

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

Leave a Comment