Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

સ્‍મીત દેસાઈ અને ડો.ચિનલ પટેલનું મોતઃ અન્‍ય ત્રણ પણ દાઝ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.08: ગયા સપ્તાહે વલસાડ સુગર ફેક્‍ટરી પાસે આવેલ મણીબા કોમ્‍પલેક્ષમાં ભિષણ આગ લાગી હતી. આગમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા તે પૈકી યુવાન સ્‍મીત દેસાઈ અને ડો.ચિનલ પટેલનું સારવારમાં મોત નિપજ્‍યા હતા. બીજી તરફ જમીન માલિકો અને દુકાન માલિકોને પારનેરા પારડી ગ્રામ પંચાયતના તલાટીએ નોટીસ ફટકારી ત્રણ દિવસમાં વિવિધ ખુલાસા માગ્‍યા છે.
પારનેરા પારડીમાં આવેલ મણીબા કોમ્‍પલેક્ષ ગેરકાયદે બાંધકામ કરાયાનું તપાસમાં બહાર આવી રહેલ છે. આગમાં આઠ જેટલી દુકાનમાં આગ લાગી હતી. જેમાં દાઝેલા પૈકી બે ના મોત નિપજ્‍યા હતા તેથી તપાસનો કોરડો વિંઝાયો છે. જમીન માલિક ઈશ્વર ડાહ્યાભાઈ પટેલ અને ઉષાબેન પટેલને ગ્રામ પંચાયત પારનેરા પારડી તલાટીએ નોટિસ ફટકારી છે. નોટિસ મુજબ બાંધકામ અંગે વલસાડ નગર નિયોજકની મંજુરી તથા પ્‍લાન, જમીનના 7/12ના ઉતારા, બાંધકામની પરમીશન ત્રણ દિવસમાં ભુરી પાડવા જણાવાયું છે. કસુરવાર કરશે તો જમીન માલિકો અને દુકાન માલિકો વિરુધ્‍ધ ગુનો નોંધવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

Related posts

દાનહમાં કામ કરતી આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પગાર વધારવા જિલ્લા કલેક્‍ટર પાસે માંગેલી દાદઃ 10 દિવસની અંદર સમસ્‍યાના સમાધાનનું કલેક્‍ટરશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

ગુરૂવારે દાનહ અને દમણમાં 11 – 11 જ્‍યારે દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

vartmanpravah

વલસાડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

સેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્‍ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment